CIA ALERT

Navratri 2025: પ્રથમ નોંરતે માતા શૈલપુત્રીની પુજા

Share On :

Navratri 2025: પ્રથમ નોંરતે માતા શૈલપુત્રીની પુજા

નવરાત્રી એટલે માતાજીની ભક્તિ આરાધનાનું પાવન પર્વ. નવરાત્રીના નવે નવ દિવસ માતાજીના નવ સ્વરૂપ એટલે કે નવ દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવ દુર્ગાની પૂજા કરવાથી ભક્તને માતાજીના આશીર્વાદ મળે છે, આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને જીવનના તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. હિન્દુ પંચાગ મુજબ શારદીય નવરાત્રી 2025 આસો સુદ એકમ તિથિથી શરૂ થાય છે. આ વખતે 22 સપ્ટેમ્બર 2025, સોમવારે આસો સુદ એકમ તિથિ છે, આ તારીખ શારદીય નવરાત્રી શરૂ થશે. તો 2 ઓક્ટોબર, 2025ના ગુરુવારે દશેરા સાથે શારદીય નવરાત્રી સમાપ્ત થશે. આ દરમિયાન ભક્તો માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. નવરાત્રીના નવ દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સમય દરમિયાન માંસ, મદિરાપાન કરવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે જે ભક્ત સંપૂર્ણ ભક્તિથી માતાની પૂજા કરે છે તે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

ચાલો જાણીયે નવરાત્રીમાં જગજનની જગદંબાના નવ દુર્ગાના નામ સ્વરૂપ અને પૂજા વિધિ અને મહત્વ

નવરાત્રીના પ્રથમ દિવસ નવ દુર્ગાના પ્રથમ સ્વરૂમ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નંદી ઉપર સવાર માતા શૈલપુત્રીની પૂજા કરવાથી સાધકનું મન મૂલાધાર ચક્રમાં સ્થિર થાય છે. ચાલો જાણીયે માતા શૈલપુત્રી કથા, મંત્ર, આરતી અને પૂજા કરવાથી શું લાભ થાય છે. નવરાત્રીના પ્રથમ દિવસે નવ દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી માતાજીની પુજા કરવામાં આવશે. ઘટ સ્થાપન સાથે નવરાત્રીની શરૂઆત થાય છે, જેને કળશ સ્થાપન પણ કહેવાય છે. માતા શૈલપુત્રી પર્વતરાજા હિમાલયના પુત્રી છે. સફેદ વસ્ત્રોમાં સુશોભિત માતા શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. માતાના કપાળ પર ચંદ્ર સુશોભિત છે. શૈલીપુત્રી માતાની સવારી નંદી છે.

નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી માતાની પૂજાા કરવાથી સાધક પોતાનું મન મુલાધર ચક્રમાં સ્થિર કરે છે, શૈલપુત્રીની પૂજા કરવાથી મૂલાધર ચક્ર જાગૃત થાય છે, જેનાથી યોગ સાધના આરંભ થાય છે. એવી માન્યતા છે કે, માતા શૈલપુત્રીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઉપરાંત, જો તમે માતા શૈલપુત્રીની પૂજા કરતી વખતે ઉપવાસની વાર્તા વાંચતા નથી, તો પૂજા અધૂરી માનવામાં આવે છે. આવો જાણીએ મા શૈલપુત્રીની વાર્તા

માતા શૈલપુત્રીની કથા

પૌરાણિક કથા અનુસાર, રાજા દક્ષે તેમના મહેલમાં એક યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે બધા દેવી-દેવતાઓને આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમણે પોતાના અપમાનનો બદલો લેવા માટે શિવાજીને બોલાવ્યા નહીં. માતા સતીએ ભગવાન શિવને તેમના પિતા દ્વારા આયોજિત યજ્ઞમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી. સતીના આગ્રહથી ભગવાન શિવે પણ તેમને જવા દીધા. પરંતુ જ્યારે સતી પિતાના ઘરે યજ્ઞમાં પહોંચ્યા ત્યારે પિતા દક્ષે બધાની સામે ભગવાન શિવ માટે અપમાનજનક શબ્દો કહ્યા. પિતાની વાત સાંભળીને માતા સતી ખૂબ જ નિરાશ થયા અને તેણે યજ્ઞની વેદીમાં કૂદીને પોતાનો દેહ ત્યાર કર્યો. જે પછી માતા સતી એ પર્વતરાજ હિમાલયના ઘરે બીજો જન્મ લીધો, ત્યાં તેમને શૈલપુત્રી કહેવામાં આવ્યા હતા.

શૈલપુત્રી માતાનો મંત્ર

ૐ દેવી શૈલપુત્ર્યૈ નમ: (ॐ देवी शैलपुत्र्यै नमः॥)

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥

માતા શૈલપુત્રીને આ પ્રસાદ અર્પણ કરો

નવરાત્રીના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપને ગાયના ઘી, દૂધથી બનેલી વસ્તુઓ અર્પણ કરવાની પરંપરા છે. તમે ગાયના દૂધમાંથી બનેલી બરફી, પેંડા માતાને અર્પણ કરી શકાય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :