કર્મ કીયે જા, ફલ કિ ચિંતા છોડ..ને જીવન મંત્ર બનાવનાર નરેન્દ્ર ગાંધીનું રાજ્યપાલના હસ્તે બહુમાન
જયેશ બ્રહ્મભટ્ટ
અસ્સલ સુરતીને જોવા, જાણવા હોય તો નરેન્દ્રભાઇ ગાંધીને જોઇ લો. બોલવાની સ્ટાઇલથી, પહેરવેશ અને રહેનસહેનથી લઇને ખાણીપીણીની શોખીન નરેન્દ્રભાઇ ગાંધીને સૌથી વધુ વખત રક્તદાન કરવા તેમજ રક્તદાન સંબંધિત પ્રવૃતિઓને સતત પ્રોત્સાહિત કરવા બદલ રાજ્યના રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલના હસ્તે ગાંધીનગર ખાતે બહુમાનીત કરવામાં આવ્યા ત્યારે એક પત્રકાર તરીકે મને પહેલો વિચાર એ જ આવ્યો કે કર્મ કીયે જા ફલ કી ચિંતા છોડ કર…આ ઉક્તિને નરેન્દ્રભાઇ ગાંધીએ પચાવી જાણી છે અને એ લોકો માટે સતત પ્રયત્નશીલ રહે છે પછી એ શિક્ષણનું ફિલ્ડ હોય, બેંકિંગ ક્ષેત્ર હોય, સામાજિક કામ હોય કે પછી સ્પોર્ટસનું ફિલ્ડ હોય, તેમની ઓફિસ કે કાર્યાલયે પહોંચેલા મુલાકાતી માટે એટલિસ્ટ એક ફોન કરીને રજૂઆત તો કરી જ દે.

(ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના હસ્તે રાજ્યમાં રક્તદાન મહાદાન પ્રવૃત્તિ માટે સુરતના નરેન્દ્રભાઇ ગાંધીનું પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું એ વેળાની તસ્વીર)

(ગુજરાતના નાયક મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે રાજ્યમાં રક્તદાન મહાદાન પ્રવૃત્તિ માટે સુરતના નરેન્દ્રભાઇ ગાંધીનું પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું એ વેળાની તસ્વીર)
અઢી દાયકાથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેમને અનેક વખત મળવાનું થયું. ખરેખર લોક નેતા જો કહું તો એમાં શંભુભાઇ પટેલ, સી.આર. પાટીલ, નરેન્દ્ર ગાંધી, પ્રવીણ નાયક જેવા નેતાઓના અનુભવો શ્રેષ્ઠતમ જણાયા છે. આ નેતાઓની પાસે કોઇપણ કામની અપેક્ષાએ જતા મિત્રો, મુલાકાતીઓ માટે આ નેતાઓ સતત સક્રીય રહીને ફોલોઅપ પણ કરતા.
નરેન્દ્ર ગાંધી માટે કહેવાય છે કે મેરીટ પર એ સંગઠનના નેતા છે. સામાન્ય કાર્યકર તેમને વર્ષોથી નહીં દાયકાઓથી વળગી રહ્યા. જે ક્ષેત્રમાં જવાબદારી મળી તે ક્ષેત્રમાં પૂરી સમજણ કેળવે અને નિષ્ઠાપૂર્વક તેમાં લીન રહે એવા છે નરેન્દ્રભાઇ ગાંધી. તેમણે ક્યારે કોઇ અપેક્ષા રાખી નથી પછી ભલે એ ખેલ જગત હોય કે રાજકીય તખ્તો. સતત પ્રવૃતિમય રહેતા નરેન્દ્ર ગાંધી માટે કહેવાય અનેક વખત રાજકીય સ્તરે ચાવીરૂપ ભૂમિકા માટે પસંદ કરાયા પરંતુ એ કોળીયો પણ છેલ્લી ઘડીએ તેમના મુખેથી છીનવાય ગયો. આમ છતાં કોઇપણ ફિકર કર્યા વગર સતત પ્રયાસો કરે છે અને એટલે જ કુદરત પણ તેમને અન્યાય થવા દેતી નથી.
કોઇ રાજ્યના રાજ્યપાલના હસ્તે રક્તદાન જેવી નેક પ્રવૃત્તિ માટે ઇનામ મળે એનાથી મોટી ગૌરવવંતી વાત કઇ હોઇ શકે. સી.આઇ.એ. લાઇવ પરિવાર શ્રી નરેન્દ્રભાઇ ગાંધીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


