ફોરેન ટૂરથી આવેલા મુંબઇગરાઓને મુંબઇમાં ફ્રી માં ક્વોરન્ટાઇનની સગવડ
યુરોપ તથા મિડલ ઈસ્ટ અને દક્ષિણ આફ્રિકાથી આવેલા પ્રવાસીઓને ભાયખલામાં આવેલા જંબો કોવિડ -૧૯ સેન્ટરમાં મફતમાં ક્વોરન્ટાઈનની સગવડ આપવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને લીધો છે.

બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનને પગલે યુરોપ, મિડલ ઈસ્ટ અને દક્ષિણ આફ્રિકાથી આવનારા પ્રવાસીઓને ફરજિયાત કવોરન્ટાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તમામ લોકો માટે પાલિકાએ હૉટલોમાં પ્રવાસીઓને તેમના ખર્ચે ક્વોરન્ટાઈનની સગવડ કરી હતી પણ હૉટલમાં રહેવાનું મોંઘુ પડતું હોવાને કારણે ક્વોરન્ટાનથી બચવા માટે અનેક પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય ફલાઈટથી સીધા મુંબઈ આવવાને બદલે બીજા રાજ્યોમાં જઈને મુંબઈ આવી રહ્યા હોવાનું જણાઈ આવતા પાલિકા પ્રશાસન ચોંકી ગઈ છે.
પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી આવેલા પ્રવાસીઓને તેમને હૉટલમાં સાત દિવસ ફરજિયાત રીતે ક્વોરન્ટાઈ થવાનું પરવડતું ન હોવાનું ફરિયાદ કરી છે. આ લોકો બીજા રાજ્યમાંથી ટ્રેન, બાય રોડ અથવા ડોમેસ્ટિક ફલાઈટ પકડીને મુંબઈ આવી રહ્યા છે. બીજા રાજયમાં મહારાષ્ટ્રની માફક સાત દિવસનો ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન ફરજિયાત ન હોવાથી તેઓ તેનો ફાયદો લઈ રહ્યા છે. આ રીતે તેઓ મુંબઈ આવી રહ્યા છે, તેમાં જો કોઈ પ્રવાસી બ્રિટનમાં મળી આવેલા નવો કોરોનાનો ચેપ લઈને આવ્યો હશે અને તે અહીં મુંબઈમાં ફેલાવાનો ભય છે.

ક્વોરન્ટાઈન ટાળવા માટે પ્રવાસીઓ પોતાના સહિત અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનું જણાયા બાદ મિડલ ઈસ્ટ અને યુરોપથી આવેલા પ્રવાસીઓને હૉટલમાં ક્વોરન્ટાઈન થવાનું પરવડતું ના હોય તેવા લોકો માટે ભાયખલામાં આવેલા જંબો સેન્ટરમાં મફતમાં ક્વોરન્ટાઈનની સગવડ આપવાનો નિર્ણય લીધો હોવાનું સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.
નિયમ મુજબ યુરોપ, મિડલ ઈસ્ટ અને દક્ષિણ આર્ફિકાથી આવનારા પ્રવાસીઓની સ્ક્રીનિંગ કર્યા બાદ તેમને શહેરમાં આવેલી હૉટલમાં સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવાનું છે. આ દરમિયાન પાંચમા અને સાતમા દિવસે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો તો તેમને ઘરે સાત દિવસ ક્વોરન્ટાઈન થવાની શરતે હૉટલમાંથી છોડવામાં આવે છે. આ હૉટલોના ભાડા ૧,૫૦૦ રૂપિયાથી લઈને ૪,૫૦૦ રૂપિયા સુધી પ્રતિદિન છે. ટેસ્ટ દરમિયાન જો કોઈ પ્રવાસી પોઝિટિવ જણાતો તો તેને તુરંત હૉસ્પિટલ દાખલ કરવામાં આવે છે અને તેમને કોરોનાનો નવો સ્ટ્રેનનો ચેપ તો નથી લાગ્યો તે તપાસ કરવા માટે તેમના સેમ્પલ પુણેમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીમાં તપાસ માટે મોકલવામાં આવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
