ચાવાળો વડા પ્રધાન આંબેડકરે ઘડેલા બંધારણની તાકાત: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે જણાવ્યું હતું કે દેશમાં સામાન્ય પરિવારોમાંથી આવેલા લોકો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન બની શકે છે એ જ દેશના બંધારણની તાકાત દર્શાવે છે.
મોદીએ જણાવ્યું હતું કે દેશમાં એક સમયનો ચાવાળો વડા પ્રધાન બની શક્યો એ બાબત બાબાસાહેબ આંબેડકરે ઘડેલા બંધારણને આભારી છે. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની બધી બેઠકો પરથી ચૂંટણી નહિ લડતા રાજકીય પક્ષોના નેતાઓ વડા પ્રધાન બનવાના સપનાં જોઇ રહ્યા છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે જનતાના ટેકાથી તમારો ‘ચોકીદાર’ બાબાસાહેબે દર્શાવેલા માર્ગે આગળ વધી શક્યો છે અને સરકારને ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સૂત્રથી ચલાવી શક્યો છે.
તેમણે જણાવ્યું હતું કે મહાન અર્થશાસ્ત્રી, કાયદાશાસ્ત્રી અને નીતિના ઘડવૈયા બાબાસાહેબને ક્યારેય ભૂલવા ન જોઇએ. આંબેડકર કપરાં સામાજિક સંજોગોમાંની મુશ્કેલીનો સામનો કરીને આગળ આવ્યા હતા.
મોદીએ જણાવ્યું હતું કે અમુક રાજકીય પક્ષો ‘સબસે પહેલે પરિવાર ઔર બાદમેં રિસ્તેદાર’ના સૂત્રમાં માને છે. ઉત્તર પ્રદેશની જનતાએ ૨૦૧૪માં જાતિવાદ પર આધારિત રાજકારણને જાકારો આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે મહામિલાવટ (વિપક્ષોની મહાયુતિ)ના નેતાઓ મોદી પર અનેક ખોટા આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા પછી તેઓ માટે ટકી રહેવું મુશ્કેલ બની ગયું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
