એરપોર્ટ અને શાકભાજી માર્કેટમાં મહાવીર ઇન્ટરનેશનલ અને બસંત ખેતાન દ્વારા વૃક્ષારોપણ

મહાવીર ઇન્ટરનેશનલ એપેક્સ અને એમઆઈ સુરત મુખ્ય શાખાનો ગ્રીન અને ક્લીન ઈન્ડિયા પ્રોજેક્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને પર્યાવરણ નિરીક્ષણ શ્રી બસંત ખેતાનના સહયોગથી રવિવારે તા.25 જુલાઇ 2021ના રોજ સુરત એરપોર્ટ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એરપોર્ટના ડાયરેક્ટર અમન સૈની, મહાવીર ઈન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય સચિવ વીર અનિલ જૈન, પર્યાવરણ પ્રેમી બસંત ખેતાન, રીજિયન -૮ ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વીર ગણપત ભણસાલી, આંતરરાષ્ટ્રીય નિયામક વીર સુરેન્દ્ર મરોઠી, વીર સંદીપ ડાંગી શાસન સમિતિના સભ્ય વીર મુકેશ જૈન, સચિવ વીર હસ્તીમલ બંઠિયા, એરપોર્ટ એન્જિનિયર સુનિલ કુમાર, એક સોચના પ્રમુખ, રીતુ રાઠી, યંગ ઈન્ડિયાની દીપિકા કલન્ત્રી ધૂત, રાજીવ કોઠારી, સમાજ સેવી સંજય જૈન ચાવત, પ્રીતમ ગોસ્વામી, રમેશ રાજપૂત વગેરે પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીર અનિલ જૈનની ઉપસ્થિતિમાં મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા સવારે સિટીલાઇટ સ્થિત શાકમાર્કેટમાં પણ વૃક્ષારોપણ કરાયું હતું, આ પ્રસંગે પર્યાવરણ નિરીક્ષક શ્રી બસંત ખેતાન સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
