CIA ALERT

22/4/21 આજથી Maharashtraમાં કડક નિયંત્રણો

Share On :

કોરોના સામેના જંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ઉપાય તરીકે જ લૉકડાઉન લાગુ કરવાનો અનુરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા બ્રેક ધ ચેઈન નિર્દેશ અનુસાર ગુરુવાર રાતના ૮ કલાકથી અમલમાં આવે તે રીતે કડક પ્રતિબંધો લાદયા છે.

કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ફક્ત ૧૫ ટકા હાજરી સાથે કામ કરી શકશે. કોવિડ-૧૯ મહામારી સામે ઈમર્જન્સી સેવાઓ પૂરી પાડનારી ઑફિસોને આ નિયમમાંથી મુક્તિ રહેશે. અગાઉના નિયમો પ્રમાણે જે સરકારી અને ખાનગી ઑફિસોને ચાલુ રાખી શકાશે, પણ તેમાં ૧૫ ટકા હાજરી અથવા પાંચ વ્યક્તિ જે પણ વધુ હોય તેટલી સંખ્યામાં કામ કરી શકાશે.

મેડિકલ ઈમર્જન્સી, જરૂરી સેવા, સ્મશાનક્રિયાઓ સિવાય અન્ય કારણથી પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નવા નિયમો ગુરુવારે સાંજે ૮ વાગ્યાથી ૧લી મે સવારના ૭ વાગ્યા સુધી અમલમાં રહેશે, તેવું જાહેરનામામાં કહેવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે આપેલા નિર્દેશો અનુસાર માત્ર અને માત્ર અતિ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા નાગરિકો રેલવેમાં પ્રવાસ કરી શકશે.

રાજ્ય સરકારે લગ્ન સમારંભો માટે પણ મહેમાનોની સંખ્યા ઘટાડી ૨૫ની જ પરવાનગી આપી છે અને ૨ કલાકની સમય મર્યાદા લાદવામાં આવી છે. જો મહેમાનોની સંખ્યા વધુ જણાશે તો આયોજકોને રૂ. ૫૦ હજાર સુધીનો દંડ કરવામાં આવશે.

ખાનગી બસમાં જનારાઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચે તે પછી તેમને ૧૪ દિવસ હોમ ક્વૉરન્ટાઈનમાં રહેવું પડશે. આ માટે બસ ઑપરેટરો પ્રવાસીઓના હાથ પર સિક્કો મારશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :