ભારતીય કિશાન સંઘની 15મી ઓકટોબરે રાજયમાં 250 સ્થળોએ રેલીઓ
બહેરી સરકારના કાને ખેડૂતોના અવાજ પહોંચાડવા આરએસએસની ભગિની સંસ્થા ભારતીય કિશાન સંઘ 15મી ઓકટોબરથી રાજયના તમામ તાલુકા મથકોએ એટલે કે, 250 સ્થળોએ રેલીઓ યોજી સભા કરીને મામલતદાર, કલેકટરોને આવેદનપત્રો આપવાનું જાહેર કર્યુ હતું. ગુજરાતની ભાજપ સરકાર અછત ટાણે પણ ગંભીરતાથી નિર્ણયો લઇ શકતી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં આ વખતે પડેલા ઓછા વરસાદને કારણે ખેતીમાં કસ નિકળી ગયો છે. સરદાર સરોવરમાં પાણી હોવા છતાંયે સરકાર નર્મદાનું પાણી ખેડૂતો સુધી પહોંચાડી શકી નથી. અધુરામાં પૂરું ખાતરમાં ભાવ વધારો ઠોકયો અને સૂક્ષ્મ સિંચાઇની સબસિડી ઘટાડવાના નિર્ણયોની ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કિસાન સંઘ સરકાર સમક્ષ ખેડૂતોની પિડા પહોંચાડવા 15મી ઓકટોબરથી રસ્તા પર ઉતરશે. ચાલુ વર્ષે પાણી પત્રક ભરાવીને સરકાર ખરીફ તત્કાળ ટેકાના ભાવે ખરીદવાનું શરૂ કરે, પાક વીમા માટે સર્વેનું કામ કરાવે. ડુંગળી, લસણના ખેડૂતોને સહાય અને કૃષિલક્ષી તમામ બાબતોમાંથી જીએસટી નાબુદ કરે. દૂધ ઉત્પાદકોને મળતા ભાવમાં ઘટાડા સામે સરકારે પોત્સાહન સહાય આપે, તેવી માંગણી સાથે રિ-સર્વેના કામમાં ભારે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં કિસાન સંઘના સૂત્રોએ જણાવ્યા હતું કે, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, કૃષિ પ્રધાન, મહેસૂલ પ્રધાનને તા.29મી સપ્ટેમ્બરે અમારા પ્રતિનિધિ મંડળે રૂબરૂ મળીને ખેડૂતોના મુદ્દે તત્કાળ નિર્ણય કરવા રજૂઆત કરી હતી. છતાંયે સરકારે કંઇ કર્યું નથી. દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે પોતાના પગાર વધારી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સ્વાર્થ સાધી લીધો છે. તેવી હૈયાવરાળ ઠાલવતા પ્રદેશ મહામંત્રીએ ગુજરાતના ખેડૂતોના હાલ જાયે તો કહા જેવા થઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

