જામનગરના ચાંદીના તાજિયાનાં દર્શન કરાવો તો બાળક ક્યારેય બીમાર ન પડે!
ગુજરાતના એકમાત્ર એવા અને ૩૫૦ વર્ષ પહેલાં જામનગરના રાજવીએ ભેટ તરીકે આપેલા આ ચાંદીના તાજિયાનું વજન ૧૯૦ કિલો છે અને એની માનતા અત્યાર સુધીમાં એક લાખથી વધુ માવતર માની ચૂક્યા છે

વિષય શ્રદ્ધાનો હોય તો તર્ક અને દલીલ પણ પાયાવિહોણાં થઈ જાય છે. આ વાત જામનગરના ચાંદી-તાજિયાને અક્ષરોઅક્ષર લાગુ પડે છે. મહોરમ નિમિત્તે જામનગરમાંથી નીકળતા તાજિયા જુલૂસમાં જોડાતા ચાંદીના તાજિયા જોવા માટે અને એ તાજિયાનાં દર્શન માટે એકલા જામનગર, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાંથી જ નહીં પણ મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી, લંડન, આફ્રિકા, કૅનેડા અને અમેરિકા જેવા દેશોમાંથી પણ ભાવિકો પધારતા હોય છે.
૧૯૦ કિલો વજન ધરાવતો આ તાજિયો સાડા ત્રણસો વર્ષ પહેલાં જામનગરના રાજવી પરિવારે જામનગરની સૈયદ જમાલ કમિટીને ભેટ આપ્યો હતો. જામ રા ખેંગારજીને ત્યાં બાળકો થતાં નહીં હોવાથી તેમણે માનતા માની હતી કે જો તેમને ત્યાં વંશ આવશે તો તે મહોરમ નિમિત્તે ચાંદીનો તાજિયો બનાવી આપશે. માનતા ફળી એટલે તેમણે તાજિયો કરાવી આપ્યો અને પછી તો આ તાજિયો પોતે શ્રદ્ધાનો વિષય બની ગયો. એવું માનવામાં આવે છે કે આ તાજિયાનાં દર્શન કરાવવાથી બાળકો બીમાર નથી પડતાં. આ જ કારણે આ તાજિયાને નજર સમક્ષ રાખીને દર વર્ષે હજારો મા-બાપ પોતાનાં નાદુરસ્ત બાળકો માટે માનતાં રાખે છે અને મહોરમના દિવસે તાજિયાનું જુલૂસ નીકળે ત્યારે આ ચાંદીના તાજિયાનાં દર્શન કરાવે છે.
જામનગરમાં મહોરમના તહેવાર અગાઉ એક દિવસ દરમ્યાન આ ચાંદીના તાજિયા લોકદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવે છે.
ગુગલ યુ ટ્યુબ પર આ તાજીયાના વિડીયોઝ પણ ઉપલબ્ધ છે.
You can find us on Google Play store too

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


