India Vs England 1-1 : ભારતે ઈંગ્લેન્ડને 317 રને હરાવ્યું

ભારતીય ટીમે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ પર ઐતિહાસિક જીત મેળવી છે. પહેલી ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ કમબેક કરતા ચેપોકમાં રમાયેલી બીજી મેંચમાં ઈંગ્લેન્ડને 317 રનના અંતરથી હરાવ્યું. રનની દ્રષ્ટિએ ઈંગ્લેન્ડ પર ભારતની આ સૌથી મોટી જીત છે. 482 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 164 રનોમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન માત્ર કેપ્ટન જો રૂટ અને મોઈન અલી જ ફાઈટ આપી શક્યા હતા.
ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં અક્ષર પટેલે પાંચ, રવિચંદ્રન અશ્વિને ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. ભારતીય ટીમની જીતના હીરો રહેલા અશ્વિને મેચમાં 8 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગ્સમાં સદી પણ ફટકારી હતી.ભારતીય ટીમે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ પર ઐતિહાસિક જીત મેળવી છે.
પહેલી ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ કમબેક કરતા ચેપોકમાં રમાયેલી બીજી મેંચમાં ઈંગ્લેન્ડને 317 રનના અંતરથી હરાવ્યું. રનની દ્રષ્ટિએ ઈંગ્લેન્ડ પર ભારતની આ સૌથી મોટી જીત છે. 482 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 164 રનોમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન માત્ર કેપ્ટન જો રૂટ અને મોઈન અલી જ ફાઈટ આપી શક્યા હતા. ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં અક્ષર પટેલે પાંચ, રવિચંદ્રન અશ્વિને ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. ભારતીય ટીમની જીતના હીરો રહેલા અશ્વિને મેચમાં 8 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગ્સમાં સદી પણ ફટકારી હતી.
આ પહેલા મેચના ચોથા દિવસની શરૂઆત ઈંગ્લેન્ડ માટે ખૂબ જ ખરાબ રહી હતી. ઈંગ્લેન્ડે 52 રને 3 વિકેટથી આગળ રમવાનું શરૂ કર્યું અને પહેલા સેશનમાં 63 રન થયા બાદ વિકેટ ગુમાવી દીધી. આ પહેલા જો રૂટ પણ લંચ પહેલા આઉટ થઈ જાત પરંતુ મોહમ્મદ સરાજે કુલદીપની ઓવરમાં સરળ કેચ છોડી દીધો. આ પહેલા અશ્વિને ડેનિયલ લોરેન્સને પવેલિયન મોકલ્યો. રિષભ પંતે તેને ચપળતાથી સ્ટમ્પ આઉટ કરી દીધો હતો. અશ્વિને ટેસ્ટમાં 10મી વખત બેન સ્ટોક્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. ભારતીય સ્પિનર્સો તરખાટ મચાવતા તમામ અંગ્રેજ બેટ્સમેનોને પેવેલિયનમાં પાછા મોકલ્યા હતા.
રવિચંદ્રન અશ્વિને મેચમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા સદી ફટકારવા સાથે 8 વિકેટ પણ ઝડપી હતી. જેના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતની પહેલી ઈનિંગ્સમાં રોહિત શર્માએ પણ 161 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ હવે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે આ બે માંથી એક ટેસ્ટ જીતવી જરૂરી છે, સાથે જ ઈંગ્લેન્ડ એક પણ ટેસ્ટ ન જીતે તે પણ ધ્યાનમાં રાખવું પડશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


