ભારતમાં કોરોના કેસ 15 લાખને પાર
દેશમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધીને 15 લાખને પાર પહોંચી ગઇ છે. તાજેતરના આંકડાઓ મુજબ કોરોના સંક્રમણથી દેશભરમાં 15,00,988 લોકો પીડિત થઇ ચૂક્યા છે. વર્તમાન સમયમાં દેશમાં 5,06,153 સક્રિય કેસ છે, જ્યારે 9,61,000થી વધુ દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ થઇ ચૂક્યા છે. આ પૈકી દેશનો કુલ મૃત્યુઆંક વધીને 33,620 થયો છે.
કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર અને તમિલનાડૂ છે, તમિલનાડૂમાં મંગળવાકે સંક્રમણના નવા 6972 કેસ સામે આવ્યા હતા, કુલ દર્દીઓનો આંકડો 2,27,688 છે. જ્યારે રાજ્યભરમાં કુલ 3659 દર્દીઓ કોરોના સંક્રમણના લીધે દમ તોડી ચૂક્યા છે.
દિલ્હીમાં પણ વિતેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 1056 કેસ સામે આવ્યા છે. અહીં કુલ 1,32,275 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જ્યારે કુલ મૃત્યુઆંક 3881 છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર મુજબ કેસો ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહ્યા છે.
જોકે દેશભરમાં કોરોના મહામારી રુદ્ધ રુપ ધારણ કરી ચૂકી છે, દૈનિક સ્તરે નવા કેસો રેકોર્ડ બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં સ્વાસ્થ મંત્રાલય સતત દાવો કરી રહ્યુ છે કે, વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં કેસોની સંખ્યા ઓછી છે અને રિકવરી રેટ વધુ છે. વિશ્વસ્તરે ભારતમાં કોરોનાથી મૃત્યુદર પણ સૌથી ઓછો છે. પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે, દેશમાં નવા કેસોનો રાફડો ફાટ્યો છે, જેના કારણે હવે રાજ્ય સરકારો સ્વ-નિર્ણય લઇને કોરોના સંક્રમણને કાબૂ કરવાના યથાગ પ્રયત્ન કરી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


