CIA ALERT

India Vaccine Drive : આજે 16/1/21 પહેલા દિવસે 3 લાખ લોકોને વેક્સિન અપાઇ રહી છે

Share On :

આજરોજ તા.16 જાન્યુઆરીને સવારે સાડા દસ કલાકથી ભારતમાં કોરોના કાળ વચ્ચે વેક્સિન અભિયાન શરૂ થયું છે. એન્ટી કોરોના વેક્સિન અભિયાનની વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યાથી વીડિયો લિંક મારફત શરૂ કરાવ્યું હતું.

એન્ટી કોરોના રસી મૂકવાનો કાર્યક્રમ આખા દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા ૩૦૦૬ કેન્દ્રમાં આજરોજ તા.16મી જાન્યુઆરી 2021થી શરૂ થયો છે. આ દરમિયાન બધા જ કેન્દ્રો વીડિયો લિંક દ્વારા જોડાયેલા રહ્યા હતા. દરેક કેન્દ્રમાં અંદાજે ૧૦૦ જેટલી વ્યક્તિને રસી મૂકવામાં આવી રહી છે.

આજે તા.16મી જાન્યુઆરીના પ્રથમ દિવસે આશરે 3 લાખ સ્વાસ્થ્યકર્મીઓનું રસીકરણ કરાશે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા અનુસાર દેશમાં એક સાથે 3006 સ્થળે રસીકરણ અભિયાન હાથ ધરાય રહ્યું છે.આ અભિયાન લાંબુ ચાલશે અને તબક્કાવાર દેશની મોટાભાગની વસતીને આવરી લેવામાં આવશે. રોજ સવારે 9થી સાંજે પ સુધી રસીકરણ ચાલશે. સરકાર દ્વારા રસીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. 18 વર્ષ અને તેથી ઉપરની ઉંમરનાને જ રસી આપવામાં આવશે.

ભારતે તાજેતરમાં કોરોનાની બે વેક્સિન (કોવિશીલ્ડ, કોવેક્સિન)ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. દેશના વિવિધ શહેરોમાં વેક્સિનનો કુલ 1.6પ કરોડ ડોઝનો જથ્થો પહોંચી ચૂકયો છે. અગાઉ બે ડ્રાય રનનું સફળતાપુર્વક આયોજન કરાઈ ચૂકયુ છે. વડાપ્રધાન દ્વારા શનિવારે કોવિન (કોવિડ વેક્સિન ઈન્ટેલીજન્સ નેટવર્ક) એપ લોન્ચ કરવામાં આવી હતી. જેના દ્વારા અભિયાન પર દેખરેખ રાખવામાં આવશે. સાતેય દિવસ ર4 કલાક કાર્યરત હોટલાઈન 1057નો આરંભ કરવામાં આવ્યો હતો.

રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને આવરી લેવામાં આવશે જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના સ્વાસ્થ્યકર્મીઓ (ડોકટર, નર્સ, ટેકનીશ્યન, લેબ વર્કર્સ, આઈસીડીએસ) અને કોરોના નિયંત્રણની કામગીરી કરી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ (પોલીસકર્મીઓ, લશ્કરના જવાનો, હોમગાર્ડ, જેલનો સ્ટાફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્વયંસેવકો, સિવિલ ડિફેન્સ સંસ્થાનો, મનપા કર્મીઓ, રેવન્યૂ કર્મીઓ) સામેલ છે. કોરોના રસીકરણ અભિયાનનો ખર્ચ પીએમ કેર્સ ફંડમાંથી ઉઠાવવામાં આવશે.

રસી મૂકવાના કાર્યક્રમનું આયોજન તબક્કાવાર પ્રાથમિકતા ધરાવતા જૂથના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી મૂકવામાં આવશે.

વર્ધને જણાવ્યું હતું કે ભારતનો પોતાના નાગરિકોને કોરોનાની રસી મૂકવાનો કાર્યક્રમ આખા વિશ્ર્વમાં આ પ્રકારનો સૌથી મોટો કાર્યક્રમ હશે. કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને પ્રકારની રસી સુરક્ષિત છે.

ક્ધટ્રોલરૂમની મુલાકાત દરમિયાન એમણે સ્વાસ્થ્ય મંત્રાલયે ડેવલપ કરેલી કો-વિન (ઑનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ) પ્રણાલીનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ પ્રણાલી દ્વારા તુરંત જ રસીનો સ્ટોક, સ્ટોરેજનું તાપમાન અને વ્યક્તિગત રીતે રસી લેનારની માહિતી મેળવી શકાશે.

આ પ્રણાલી રાષ્ટ્રીય સ્તરે આ કામ માટે નીમાયેલા ખાસ મેનેજરોને રસીની પ્રક્રિયા દરમિયાન મદદ કરશે. તેઓ મેનેજરોને લાભકર્તાએ રસી મુકાવી કે નહીં, આયોજિત સત્ર અને ખરેખર યોજાયેલા સત્ર, કેટલી વેક્સિન વપરાઇ વગેરે માહિતી આપશે.

કેન્દ્ર સરકારે ખરીદેલો ૧.૬૫ કરોડ વેક્સિનનો જથ્થો બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પહેલા તબક્કા માટે મોકલી દેવાયો છે. બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પંદર દિવસમાં વધુમાં વધુ ૧૦ દિવસ કોવિડ-૧૯ના રસીકરણ માટે વાપરવાની સલાહ આપવામાં આવી છે.

સરકારે જણાવ્યા અનુસાર સૌ પ્રથમ અંદાજે એક કરોડ સ્વાસ્થ્યકર્મીઓને, ત્યાર બાદ અંદાજે બે કરોડ ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ત્યાર બાદ પચાસ વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી મૂકવામાં આવશે. છેવટે પચાસ વર્ષથી ઓછી વયના લોકોને આ રસી મૂકવામાં આવશે.

સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓની રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :