CIA ALERT

કોરોના સન્ડે : 6/9 ના 24 કલાકમાં 90,000 નવા કેસો

Share On :

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારતમાં પોતાનો પ્રકોપ વધાર્યો હોય એમ દેશમાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 90,632 લોકો કોવિડ-19માં સપડાતાં કુલ કેસની સંખ્યા પણ 41 લાખને પાર ગઈ હતી. આ દરમ્યાન 1065 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક વધીને 70,626 થઈ હતી. જોકે કોવિડ-19 વેબસાઈટ અનુસાર ભારત 41.31 લાખ કેસ સાથે વિશ્વમાં બ્રાઝિલ (41,23,000 કેસ)ને પાછળ રાખીને બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બન્યો છે. દરમ્યાન, એક દિવસમાં 73,642 દર્દી આ ખતરનાક વાયરસના સંક્રમણની બહાર આવી ચૂક્યા છે. આ એક દિવસમાં સાજા થયેલાઓની સૌથી વધુ સંખ્યા છે. આ સાથે જ રિકવરી રેટ વધીને 77.32 ટકા પહોંચ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોનો આંક 41 લાખના ચિંતાજનક આંકને પાર કરીને 4131811 પહોંચ્યો હતો. કોવિડ-19 વેબસાઈટના આંક અનુસાર ભારત 41,31,690 કેસ સાથે બ્રાઝિલને પાછળ રાખી વિશ્વનો બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બની ચૂક્યો છે. અમેરિકા 64,32,290 કેસ સાથે પહેલા ક્રમે છે.

મંત્રાલય અનુસાર વીતેલા 24 કલાકમાં વિક્રમી 73,642 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ રહેતાં હજુ સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધીને 32 લાખ નજીક પહોંચતાં રિકવરી રેટ 77.32 ટકાએ પહોંચ્યો હતો. દેશમાં હાલમાં 8,62,320 એક્ટિવ કેસ છે. છેલ્લા બે દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કુલ કેસના 20.96 ટકા દર્દી એક્ટિવ છે જ્યારે મૃત્યુદર પણ વિશ્વમાં સૌથી ઓછો 1.72 ટકા છે, જે રાહતના સમાચાર છે.

દેશમાં ઓગસ્ટ મહિનાથી મહામારીના સંક્રમણમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો હતો. દેશમાં સાતમી ઓગસ્ટે કોવિડ-19ના દર્દીઓનો આંક 20 લાખને પાર થયો હતો જ્યારે 23 ઓગસ્ટના આ આંક 30 લાખ અને પાંચમી સપ્ટેમ્બરે 40 લાખને પાર થઈ ગયો હતો.
આઈસીએમઆર અનુસાર પાંચમી સપ્ટેમ્બર સુધી દેશમાં કુલ 4,88,31,145 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે ગઈકાલે 10,92,654 સેમ્પલ ટેસ્ટ થયા હતા.

રાજ્યમાં ક્વોરન્ટાઈન દરદીના આંકમાં 1 દી’માં અધધ 1.67 લાખનો વધારો

વિશ્વમાં કોવિડ પોઝિટિવ કેસમાં ભારત બીજા ક્રમાંકે પહોચ્યું છે. આવી જ વિકટ પરિસ્થિતિ ગુજરાતમાં પ્રવર્તી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 7,35,952 વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જે ગત રોજના ક્વોરન્ટાઈન દર્દીઓમાં સૌથી વધુ 1,67,952નો ઉછાળો આવ્યો છે. 7,35,952 વ્યક્તિઓના ક્વોરન્ટાઈનમાંથી 7,33,790 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન જ્યારે 2162 ફેસીલીટી ક્વોરોન્ટાઈન હેઠળ છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1335 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 1,04,331 પર પહોંચ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં વધુ 14 કોરોના દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક 3100 વટાવીને 3108 થયો છે. બીજીબાજુ સૌથી વધુ સારી વાત એ છે કે, આજે ગુજરાતમાં 1212 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 84758 પર પહોંચ્યો છે. જેને લઈને ગુજરાતમાં સાજા થવાનો દર 81.23% પર પહોંચ્યો છે. ગુજરાતમાં ડાંગ જિલ્લા સિવાય 32 જિલ્લામાં નોંધાયેલા કુલ 1335 કેસમાં સૌથી વધુ સુરતમાં 295, અમદાવાદમાં 173, રાજકોટમાં 151, જામનગરમાં 114 જ્યારે અન્ય 28 જિલ્લામાં 50થી ઓછા કેસ નોંધાયા હતા.

જ્યારે સુરતમાં 5, અમદાવાદમાં 3, જ્યારે ગાંધીનગર, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.’ગુજરાતમાં આજે 72,561 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે જેને લઈને ગુજરાતમાં કુલ થયેલા લેબોરેટરી ટેસ્ટનો આંક 27,80,861 પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ 16,475 એક્ટિવ કેસ છે. જેમાં 92 વેન્ટિલેટર પર અને 16383 સ્ટેબલ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :