ભારતમાં 5મી ઓગસ્ટે 52,509 નવા કોરોના કેસ : 857ના મોત
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 52,509 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે 19,08,255 સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ બીમારીને કારણે 857 દર્દીઓના મોત થયા છે અને મૃત્યુંઆંક વધીને 39,795 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી કુલ 12,82,216 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા અમેરિકા અને બ્રાઝીલની જેમ સતત વધી રહી છે.
બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 51,603 નવા કેસ નોંધાયા છે સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં આ મહામારીને કારણે 1154 લોકોના મોત થયા છે આ સાથે જ મૃત્યુઆંક 95 હજારને પાર પહોંચી ગયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


