ઇન્કમ ટૅક્સ (ITR) રિટર્ન્સ ફાઇલિંગની મહેતલ વધારાઇ

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વ્યક્તિગત આવકવેરા રિટર્ન્સ ભરવાની મુદતમાં સરકારે ગુરુવારે બે મહિનાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે રિટર્ન્સ ૩૦મી સપ્ટેમ્બર સુધી ભરી શકાશે.
સીબીડીટીએ કંપનીઓ માટે પણ આવકવેરા રિટર્ન્સ ભરવાની મુદતમાં એક મહિનાનો વધારો જાહેર કર્યો છે. કંપનીઓ હવે પોતાના રિટર્ન્સ ૩૦મી નવેમ્બર સુધી ભરી શકશે.
સામાન્ય રીતે જે લોકો આઈટીઆર-૧ અથવા આઇટીઆર-૪ ભરતા હોય એમણે ૩૧મી જુલાઇ સુધીમાં રિટર્ન્સ ભરી દેવાના હોય છે. કંપનીઓ કે અન્યો કે જેમના અકાઉન્ટનું ઑડિટ થવાનું હોય, એમણે ૩૧મી ઑક્ટોબર સુધીમાં રિટર્ન્સ ભરવાના હોય છે.
સીબીડીટીએ જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને કરધારકોને રિટર્ન્સ ભરવા માટેનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે.
નાણાકીય સંસ્થાઓ માટે એસએફટી રિપોર્ટ રજૂ કરવાની તારીખ ૩૧મી મેથી એક મહિનો લંબાવીને ૩૦મી જૂન ૨૦૨૧ કરવામાં આવી છે.
સીબીડીટીએ ૧લી એપ્રિલે આઇટીઆર માટેના નવા ફોર્મ જાહેર કર્યા હતા. કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ફોર્મમાં ખાસ ફેરફાર નથી કરાયો, પણ નવા ફોર્મમાં શું કરદાતા નવી કરપ્રણાલી અપનાવવા માગે છે, એવો સવાલ કરવામાં આવ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
