CIA ALERT

ભારતમાં ૬૩ એરપોર્ટમાં ૧૯૮ બોડી સ્કેનર ગોઠવાશે

Share On :

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઇ)એ ૬૩ ભારતીય એરપોર્ટને ૧૯૮ બોડી સ્કેનર ફાળવવાનું નક્કી કર્યું છે. હાલના પ્રવાસીઓ પાસેની ધાતુની વસ્તુઓ શોધી કાઢવા માટે વપરાતા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર અને હેન્ડ-હેલ્ડ સ્કેનરના બદલે આ

બોડી સ્કેનરનો ઉપયોગ કરવામાં આવશે, એમ અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.

૧૯૮ સ્કેનરમાં પુણે એરપોર્ટ માટે ૧૨, ચેન્નઇ એરપોર્ટ માટે ૧૯, કોલકતા એરપોર્ટ માટે ૧૭ સ્કેનર ફાળવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. આ સિવાય અમૃતસર, વારાણસી, કેલિકટ, કોઇમ્બતુર, ત્રિચી, ગયા, ઔરંગાબાદ અને ભોપાલ એરપોર્ટ પર ચાર-ચાર બોડી સ્કેનર ગોઠવવામાં આવશે.

‘શ્રીનગર એરપોર્ટ પર સાત બોડી સ્કેનર, વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર છ, તિરુપતિ, બગદોરા, ભુવનેશ્ર્વર, ગોવા અને ઇમ્ફાલ એરપોર્ટ પર પાંચ-પાંચ સ્કેનર ગોઠવવામાં આવશે’, એમ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દેશના ૧૦૦થી વધુ એરપોર્ટની માલિકી અને સંચાલન એએઆઇ સંભાળે છે.

‘બોડી સ્કેનર ફાળવવાની પ્રક્રિયા ચાલુ વર્ષના શરૂઆતમાં કોરોના મહામારી પહેલા થઇ હતી.

વહેલામાં વહેલી તકે ભારતના દરેક એરપોર્ટને બોડી સ્કેનર ફાળવવામાં આવશે, કારણ કે મહામારીને કારણે સિક્યોરિટી કર્મચારીઓ દ્વારા પ્રવાસીઓની જડતી લેવાનું પ્રમાણ ઓછું થયું છે’, એમ એએઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું. ૬૩ એરપોર્ટ માટે ૧૯૮ બોડી સ્કેનર મેળવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને ત્રણ કંપનીએ બીડ કરી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :