સી.આર. પાટીલના પ્રયાસો, હોમલોન વ્યાજ સબસિડી સ્કીમમાં અટકેલી દેશની હજારો ફાઇલો ટૂંકમાં ક્લીયર થશે
હોમલોન ધિરાણ પર 2.67 લાખ વ્યાજ સબસિડી નાની રકમ નથી
પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ કેન્દ્ર સરકારની આવાસ ધિરાણના વ્યાજ પર સબસિડી આપવાની યોજના હેઠળ પ્રતિ આવાસ રૂ.2.25 લાખથી લઇને રૂ.2.67 લાખ જેટલી જંગી રકમની વ્યાજ સબસિડી મળવાપાત્ર છે. આ યોજનામાં સૂરતની સેંકડો ફાઇલો અને દેશની હજારો ફાઇલો કેટલાક ટેકનિકલ કારણોસર અટકી જવા પામી છે.
નવસારીના સાંસદ સી.આર. પાટીલએ આજે આ મુદ્દે જણાવ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી આવાસ ધિરાણ વ્યાજ સબસિડી યોજનાના અમલીકરણ અંગેની કમિટીમાં છે અને આ યોજનાના અરજદારોને કયા કારણોસર લાભ મળતો અટકાવી દેવાયો છે એનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આવાસ ધારકોમાં પતિ-પત્નિ બન્નેનું નામ ન હોવાના કારણે તેમને આવાસ ધિરાણ વ્યાજ સબસિડી મળતી નથી.

સી.આર. પાટીલે ઉમેર્યું કે કેટલાક કારણો જેવા કે
- ફક્ત પતિનું નામ આવાસ ધારક તરીકે દર્જ થયેલું હોય તેવા કિસ્સામાં
- વિધુર હોય તેવા કિસ્સામાં
- અપરણિત પુરુષ હોય તેવા કિસ્સામાં
આવાસ ધિરાણ સબસિડીનો લાભ અટકાવી દેવાયો હતો. સૂરતમાં આવી સેંકડો ફાઇલો અટકાવી દેવામાં આવી છે. સાંસદ સી.આર. પાટીલએ કહ્યું કે આ પ્રકારે લાભાર્થીઓને મળતો લાભ અટકાવી શકાય નહીં. આથી એકલા પુરુષ અરજદારો હોય તેવા કિસ્સામાં માતા, બહેન કે પુત્રીનું નામ સામેલ કરાવીને આવાસ ધિરાણ વ્યાજ સબસિડીનો લાભ આપવા માટેની માર્ગદર્શિકા તૈયાર કરી દેવામાં આવી છે.
સી.આર. પાટીલે જણાવ્યું કે ટૂંક સમયમાં આ અંગેની માર્ગદર્શક સૂચનાઓ સમગ્ર દેશમાં જારી કરી દેવામાં આવશે. એકલા સૂરતના જ નહીં પણ સમગ્ર દેશના લોકોને આ યોજનામાં અટકેલા લાભો મળવા માંડશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


