આગામી બુધવાર તા.31મી ઓક્ટોબરે વિક્રમ સંવત-૨૦૭૪નું અંતિમ પુષ્ય નક્ષત્ર
આસો વદ સપ્તમી, તા.૩૧મી ઓક્ટોબરના રોજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર બળવાન એવું પુષ્ય નક્ષત્ર છે. વિક્રમ સંવત-૨૦૭૪નું અંતિમ પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસે મોટી સંખ્યામાં નૂતન વર્ષ માટેની ખરીદી પણ કરવામાં આવશે. ભારતીય પરંપરામાં શુકન માટે પણ આ દિવસે સોના-ચાંદી-ઝવેરાતની ખરીદી કરવામાં આવતી હોય છે અને તે અનુસાર શ્રદ્ધાળુઓ સોના-ચાંદીની ખરીદી કરશે. ખાસ કરીને મંત્રની સિદ્ધિ માટે પણ આ પુષ્ય નક્ષત્રનું સવિશેષ મહત્ત્વ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તા.૩૧મીએ સવારે ૧૧.૧૧ મિનિટ સુધી રાજયોગ પણ થઈ રહ્યો છે તથા માલવ્ય યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. માટે જ નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ સર્વોત્તમ માનવામાં આવે છે. અનેક અશુભતાઓને દૂર કરનારું બળવાન પુષ્ય નક્ષત્ર છે. જે કોઈપણ વ્યક્તિને વારંવાર અસફળતા મળતી હોય અથવા વિલંબ સાથે કાર્ય થતાં હોય તેઓએ પણ આ દિવસે નવા કાર્યનો પ્રારંભ કરવામાં આવે તો તેમાં સફળતા મળી શકે છે.
પુષ્ય નક્ષત્રનો દિવસ આયુર્વેદશાસ્ત્રજ્ઞાતાઓ, મંત્રસાધકો અને ઉપાસકો માટે પણ એટલો જ મહત્ત્વનો માનવામાં આવે છે. ઔષધને સિદ્ધ કરવા માટે, મંત્રોની સિદ્ધિ માટે કે અનુષ્ઠાનની સફળતા માટે પણ આ દિવસે ગુરુ દ્વારા અપાયેલા માર્ગદર્શન અનુસાર ઉપાસના કે આરાધના કરવામાં આવતી હોય છે. લક્ષ્મીજીની કૃપા મળે તે માટે પણ જાપ કરવામાં આવતો હોય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


