બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને માટેની સ્કોલરશીપ માટેની આવક મર્યાદા 4.5 લાખ કરાઇ
નવા વર્ષના પહેલા દિવસે ગુજરાત સરકારે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ગિફટ આપી છે. માત્ર મેડિકલ જ નહી, હવેથી અન્ય અભ્યાસ માટે પણ વિદેશમાં સ્ટડી કરવા માટે સરકાર સસ્તા વ્યાજે લોન આપશે.
ગઈ કાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટેના અભ્યાસને લઈને મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટલે જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતના શિક્ષિત યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા માટે રાજ્ય સરકારે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે. એમાં વિવિધ યોજનાઓ કાર્યન્વિત કરવામાં આવી છે જેમાં સહાય મેળવવા માટે વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાની હતી એ વધારીને સાડાચાર લાખ રૂપિયાની કરવામાં આવી છે. આ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે સાદા વ્યાજની ૧૫ લાખની લોન અપાય છે એ માટેની આવક-મર્યાદા સાડાચાર લાખ રૂપિયાથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે હવે છ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા કોઈ પણ યુવાનો વિદેશ અભ્યાસ માટે લોન મેળવી શકશે.’
મેડિકલ અને ટેક્નિકલ અભ્યાસ માટે નિગમ દ્વારા જે લોન અપાતી હતી એ યોજનાનો માત્ર ગુજરાતમાં પ્રવેશ મેળવે તેને જ લાભ મળતો હતો. એને બદલે હવે રાજ્યની બહાર કોઈ પણ રાજ્યમાં પ્રવેશ મેળવશે તો તે પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સાથે-સાથે રાજ્ય બહારની IIT, NID, IIM, NIFT, નિરમા જેવી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ ગુજરાતનો યુવાન પ્રવેશ મેળવશે તો તેને પણ આ નિગમ દ્વારા લોનનો લાભ પૂરો પાડવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
