CIA ALERT

ગુજરાત લોકસભાની ચૂંટણીનાં પરિણામ બાદ ભાજપમાં નવાજૂની

Share On :

ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામ બાદ મોટા ફેરફાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પક્ષમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે કેન્દ્રમાં ફરી સરકાર માટે એકેએક સીટ જીતવી મહત્ત્વની હોઈ ગુજરાતમાં પાર્ટીની ગણતરી ઊંધી પડી તો મોવડીઓનો ગુસ્સો પ્રદેશના નેતાઓ ઉપર ઊતરશે તે પાક્કું છે.

ભાજપના સૂત્રો કહે છે કે, રાજ્યમાં ૨૪થી એક પણ બેઠક ઓછી આવશે તો પાર્ટીમાં કકળાટ શરૂ થઈ જશે, કેમ કે પ્રદેશ પ્રમુખ જાહેરમાં ભલે છવ્વીસે છવ્વીસનું રટણ કર્યે રાખતા હોય પણ પાર્ટીની આંતરિક ગણતરી બે સીટ ઓછી થઈ રહી હોવાની છે.

રાજ્ય ભાજપમાં મોટા ભાગે ૨૦૧૧ની બોડી કાર્યરત છે. રણછોડ ફળદુ ગયા પછી મહામંત્રી, મંત્રી, પ્રવક્તા કે અન્ય સ્તરે ખાસ કોઈ ફેરફાર થયો નથી, એટલે આઠ વર્ષમાં એકની એક જગ્યાએ ગ્રોથ વગર કામ કરતાં બધાં કંટાળ્યા છે. દા.ત. ભરતસિંહ પરમાર ૨૦૦૬થી પ્રદેશ મહામંત્રી છે. જિલ્લા સ્તરે પણ પાર્ટીમાં ખાસ બદલાવ થયો નથી. પરિણામે બેથી વધુ સીટના ઘટાડાના પગલે કમ સે કમ સંગઠન સ્તરે તો મોટા ફેરફાર થવાનું નિશ્ર્ચિત લાગે છે, કેમ કે ૨૦૧૯ની આ ચૂંટણીમાં ૨૦૧૪ જેવી સ્થિતિ નથી તેવો સર્વ સામાન્ય મત છે. ભાજપના સૂત્રો એવું પણ કહે છે કે, આમ તો ૨૦૧૭માં પાર્ટીના ખરાબ પર્ફોમન્સના કારણે સંગઠકીય ફેરફારો થવાના હતાં, પરંતુ એક યા બીજા કારણસર નેતાઓને જીવતદાન મળ્યું હતું, એટલે ફરી વાર પ્રદેશના નેતાઓને આવો મોકો નહિ અપાય તે બાબતે બધા એકમત છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :