CIA ALERT

31/7/21 થી ગુજરાતના 8 શહેરોમાં રાત્રિ કફર્યૂ 11થી સવારે 6

Share On :

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સમી જતાં હવે રાજ્ય સરકાર દ્વારા અગાઉ લાદવામાં આવેલા નિયંત્રણોને તબક્કાવાર ઉઠાવી લેવામાં આવી રહ્યાં છે જેમાં હવે રાત્રી કફર્યૂમાં વિશેષ એક કલાકની રાહત તેમજ લગ્નસમારોહમાં 200ને બદલે 400 વ્યક્તિઓની મંજૂરી સાથે સમગ્ર રાજ્યમાં 4 ફૂટની પ્રતિમા સાથે સાર્વજનિક ગણેશોત્સવની પણ છૂટ આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ’ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી નો’ છે તે’ 31 જૂલાઈથી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.’

આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત’ રાજ્યમાં હાલ જાહેર સમારંભો’ ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની’ મર્યાદા છે તે’ તારીખ 31′ જૂલાઈથી’ વધારીને 400′ વ્યક્તિઓની કરવામાં આવી છે’ આવા’ કાર્યક્રમોનું’ જો બંધ હોલમાં’ આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજાનિક ગણેશોત્સવમાં’ વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો’ નિર્ણય’ પણ આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :