Gujarat : માધ્યમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ 26/7/21થી
રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગોની શાળાઓમાં 26મી જુલાઈ 2021ને’ સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજયભાઈ’ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’
કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શાળા-વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ તદઅનુસાર’ સમગ્ર રાજ્યમાં આગામી 26મી’ જુલાઈથી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યપ્રધાને કોર કમિટીમાં કર્યો હતો.’
રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ શરૂ થશે ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. કોર કમિટીની’ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા, ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપાસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ’ અનિલ મુકિમ અને સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


