ગુજરાતમાં 15મી જુલાઇના દિવસ દરમિયાન સૌથી વિક્રમી દૈનિક 925 કેસ
કોરોનાનું સંક્રમણ તો વધતું જ જઈ રહ્યું છે પરંતુ રાહત આપનારી વાત એ પણ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 791 જેટલા દર્દીઓ કોરોનાના સંક્રમણને હરાવીને સ્વસ્થ થયાં છે. જેથી હવે રાજ્યમાં કોવિડ-19 વાયરસને હરાવીને કુલ 31346 જેટલા દર્દીઓ સ્વસ્થ થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4,87,707 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 11221 થયાં છે. જેમાંથી 68 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 11153ની હાલત સ્ટેબલ છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,50,281 વ્યક્તિઓને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. જે પૈકી 3,47,754 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે તો 2,527 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 4, ભાવનગર કોર્પોરેશન અને સુરતમાં 1-1, તેમજ નવસારી અને ગાંધીનગરમાં પણ 1-1 દર્દીઓ મોતને ભેટતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 2081 થયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
