1 સપ્ટે. ગુજરાત કોરોના અપડેટ : નવા ૧૨૮૦ કેસ : ૧૪ મોત : ૧૦૨૫ ડિસ્ચાર્જ
ગુજરાતમાં કોરોનાના સંક્રમણના નવા હોટ સ્પોટ તરીકે સુરત અને વડોદરા પછી સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર શહેર-જિલ્લાએ આગેકૂચ આદરી છે. છેલ્લા એક મહિનાથી સૌરાષ્ટ્રમાં કોરોનાના સંક્રમિત કેસનો આંક એકસોથી વધુ કેસ સાથે આગળ રહેતા રાજકોટને પાછળ રાખી એક સપ્તાહથી જામનગરે આગેકૂચ જાળવી છે. સોમવારે સાંજે પૂરાં થતાં ચોવીસ કલાકમાં રાજ્યમાં નવા ૧૨૮૦ કેસ અને ૧૪ દર્દીના મૃત્યુ કોરોનાથી થયા છે એમાં જામનગર શહેરમાંથી ૯૧ કેસ અને જિલ્લાના ૨૩ મળી કુલ ૧૧૪ કેસ ઉમેરાયા છે જ્યારે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. રાજકોટમાં નવા ૧૧૮ કેસ તથા વધુ ત્રણ દર્દીના મૃત્યુ નોંધાયા છે.
અમદાવાદ પછી સૌથી વધારે ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરતમાં નવા ૨૫૪ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭૧ કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વધુ ત્રણ દર્દીના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. સુરત પછી વડોદરામાં કુલ ૧૨૮ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી ૯૩ નવા કેસનો સમાવેશ થાય છે જ્યારે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ભાવનગર શહેરમાંથી નવા ૨૬ કેસ અને બે દર્દીના મૃત્યુ થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૪ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાંથી ૧૮ કેસ અને ગ્રામ્યના ૧૭ મળી ૩૫ કેસ નવા નોંધાયા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાંથી નવા ૨૦ કેસ આવ્યા છે. એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૬ નવા કેસ ઉમેરાયા છે.
રાજ્યના અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો ચોમાસાના ભારેથી અતિભારે વરસાદ વચ્ચે પણ પંચમહાલ જિલ્લામાંથી નવા ૩૯ કેસ નોંધાયા છે. આ કેસ ગોધરા, હાલોલ, કાલોલ જેવા નગરો, ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમેરાયા છે. આ જ રીતે અમરેલી જિલ્લામાં લાઠી લીલીયા, ધારી, સાવરકુંડલા જેવા વિસ્તારોમાંથી નવા ૩૦ કેસ નોંધાયા છે. મહેસાણાના કડી, ઊંઝા, બેચરાજી, વિજાપુર, વીસનગર જેવા વિસ્તારોમાંથી વધુ ૨૯ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામંથી નવા ૨૮, પાટણ શહેર, સિદ્ધપુર, શંખેશ્વર સહિતના સંક્રમિત વિસ્તારોમાંથી નવા ૨૫ કેસ મળ્યા છે. સુરેન્દ્રનગરમાં મુળી, ધાંગધ્રા, વઢવાણમાંથી ૨૧ કેસ નોંધાયા છે. જ્યારે આણંદ, ભરૂચ અને કચ્છ જિલ્લામાંથી વધુ ૨૦-૨૦ કેસ ઉમેરાયા છે. સરહદી જિલ્લા બનાસકાંઠામાંથી નવા ૧૮ કેસ, ગીર સોમનાથમાંથી ૧૪ કેસ નોંધાયા છે. દાહોદ અને ખેડામાંથી ૧૩-૧૩ કેસ, દેવભૂમિ દ્વારકા અને નવસારીમાંથી ૧૨-૧૨ કેસ નવા નોંધાયા છે.
સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, ઇડરમાંથી ૧૧, છોટાઉદેપુર અને મહીસાગરમાંથી ૧૦-૧૦ કેસ, પોરબંદરમાંથી ૯, વલસાડમાંથી ૬, અરવલ્લી, બોટાદ, નર્મદામાંથી ૫-૫ તથા તાપીમાંથી ૪ નવા કેસ નોંધાયા છે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
