Gujarat Corona status 19/6 : Cases 25000+ : Deaths 1600
ગુજરાતમાં કોરોના વાઈસરનો પોઝિટિવ દરદીઓના કુલ કેસ ૨૫ હજારને પાર થઇ ચૂક્યા છે. જ્યારે કુલ ૧,૫૬૧ના મોત નોંધાયા હતા. ચાર દિવસથી રોજ ૫૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે.
રાજ્યમાં બુધવારની સાંજ સુધીના છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૨૦ કેસ નોંધાયા છે અને ૨૭ દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે ૩૪૮ દર્દીને રજા આપવામાં આવી છે. બુધવારની સાંજ સુધીના જિલ્લા દીઠ આંકડા જોઇએ તો, અમદાવાદમાં ૧૭,૬૨૯ કેસ અને ૧૨૫૩ મોત, સુરતમાં ૨૭૭૯ કેસ અને ૧૦૬ના મોત, વડોદરામાં ૧૬૮૨ કેસ અને ૪૭મોત, ગાંધીનગર ૫૨૦ કેસ અને ૨૨ના મોત, ભાવનગરમાં ૧૭૪ કેસ અને ૧૩ના મોત, બનાસકાંઠામાં ૧૫૬ કેસ અને ૮ના મોત, આણંદમાં ૧૩૫ કેસ અને ૧૩ના મોત, અરવલ્લીમાં ૧૫૨ કેસ અને ૧૪ના મોત, રાજકોટમાં ૧૭૧ કેસ પાંચના મોત, મહેસાણામાં ૧૯૩ કેસ અને નવના મોત, પંચમહાલ ૧૩૧ કેસ અને ૧૫ના મોત સહિત રાજ્યના તમામ જિલ્લામાં કુલ ૨૫,૧૪૮ કેસ અને ૧૫૬૧ મોત થઇ ચૂક્યાં છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


