CIA ALERT

ભાદરવી પૂનમ ઉત્સવ : 57 દેશોમાંથી 13 લાખ ભાવિકોએ માં અંબાના ચરણે Online શીશ ઝુકાવ્યું

Share On :

કોરોનાના કારણે આ વખતે ભાદરવી પૂનમ મહોત્સવમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી છે

કોરોનાના કારણે આ વખતે ભાદરવી પૂનમ મહોત્સવમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી લાદવામાં આવી છે. કોરોનાના કારણે ભલે ભાવિકો મંદિરમાં દર્શન કરવા આવી શક્યા નથી, પરંતુ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા ઓછી થઈ નથી; ઉપરથી વધી ગઈ છે અને એટલે જ પ્રથમ બે જ દિવસમાં વિશ્વના ૫૭ દેશોના ૧૩.૧૦ લાખ માઈભક્તોએ ડિજિટલ માધ્યમથી અંબે માતાજીના ચરણે શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી છે. એમાં પણ સવારની આરતીમાં અને બપોરે રાજભોગનાં દર્શન સમયે વિશ્વભરના ભાવિકોનો ડિજિટલ પ્લૅટફૉર્મ પર ભારે ધસારો રહે છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ કહ્યું હતું કે ‘અંબાજી મંદિરની વેબસાઇટ, ફેસબુક, ટ્વ‌િટર, યુટ્યુબ, લાઇવ વેબકાસ્ટિંગ જેવા ડિજિટલ માધ્યમથી માઈભક્તો ઘરે બેઠાં દર્શન કરી શકે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પહેલા બે દિવસમાં જ ભારત ઉપરાંત દુનિયાના ૫૭ જેટલા દેશોના ૧૩.૧૦ લાખથી વધુ ભાવિકોએ ઘરે બેઠાં ટેક્નૉલૉજીના માધ્યમથી દર્શન કર્યાં હતાં.’ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના મીડિયા કો-ઑર્ડિનેટર આશિષ રાવલે કહ્યું હતું કે ‘ભારત ઉપરાંત શ્રીલંકા, ઑસ્ટ્રેલયા, અમેરિકા, ઇંગ્લૅન્ડ, થાઇલૅન્ડ, યુરોપ‌િયન દેશો સહ‌િત દેશોના ભાવિકોએ અંબે માતાજીનાં ડિજિટલ દર્શન કર્યાં હતાં.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :