કાલે ધો.12 સાયન્સનું પરીણામ : A ગ્રુપમાં સીટો ખાલી રહેશે, B ગ્રુપમાં પ્રવેશ સમસ્યા
જયેશ બ્રહ્મભટ્ટ
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2019માં લેવામાં આવેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરીણામની પ્રાથમિક જાહેરાત તા.9મી મે સવારે 8 વાગ્યે ઇન્ટરનેટથી તેમજ પરીણામની હાર્ડ કોપી શાળા પરથી બપોરે 12 વાગ્યે મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ધો.૧૨ સાયન્સમાં આ વર્ષે એ ગ્રૂપમાં ૫૭૫૧૧ જયારે બી ગ્રૂપમાં ૮૯૭૬૦ અને એબી ગ્રૂપમાં ૩૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
આ લખાઇ રહ્યું છે ત્યારે પરીણામની પૂર્વ સંધ્યા છે અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરનારા અંદાજે 1.45 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી છે. તમામના મનમાં એક જ સવાલ ઉપસ્થિત થઇ રહ્યો છે અને એ સવાલ કેમેસ્ટ્રીનું પરીણામ કેવું આવશે એ છે.
ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એટલી બધી ખૂલી ગઇ છે કે જો પરીણામ ખરાબ આવશે તો એ કોલેજોમાં વિદ્યાર્થી સંખ્યા નહીં થાય અને કોલેજો બંધ કરવાની સ્થિતિ પેદા થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ગુજરાતનુ પરીણામ તો સારુ જ આવવાનું છે.
બી ગ્રુપ વાળા માટે પ્રવેશ સમસ્યા સર્જાશે
ધો.12 બી ગ્રુપમાંથી પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશની સમસ્યા સર્જાય તેમ છે. કેમકે ગત વર્ષ કરતા બી ગ્રુપમાં આ વખતે અંદાજે 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં નોંધાયા છે. 12 હજાર જેટલી સીટ બી ગ્રુપના અભ્યાસક્રમોમાં વધી નથી. પરીણામે બી ગ્રુપના વિદ્યાર્થીઓને મનગમતી કોલેજમાં પ્રવેશ ન મળે અથવા તો પ્રવેશ વંચિતરહેવું પડે તેવી સ્થિતિ સર્જાશે એમાં કોઇ શંકાને સ્થાન નથી.
એ ગ્રુપમાં એન્જિનિયરિંગમાં 50 ટકા સીટો ખાલી રહેેશે
એ ગ્રુપમાં એટલે કે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં પ્રવેશની કોઇ સમસ્યા નહીં સર્જાય કેમકે 60,900થી વધુ ઇજનેરીની સીટ્સની સામે ગુજકેટની પરીક્ષા ફક્ત 47000 જેટલી વિદ્યાર્થીઓએ આપી છે. આમ, અત્યારથી જ 13 હજાર જેટલી સીટો ખાલી પડી રહે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે. ગુજકેટ આપનારા વિદ્યાર્થીઓ બધા જ ઇજનેરીમાં પ્રવેશ લેતા નથી, કેટલાક ફાર્મસીમાં, કેટલાક આર્કિટેક્ચરમાં, કેટલાક લોકલ યુનિ.માં બીએસસીમાં પ્રવેશ મેળવશે તો કેટલાક જેઇઇ થકી નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સમાં જશે. આમ એ ગ્રુપમાં ઇજનેરીની સીટો ખાલી પડી રહે તેવી સ્થિતિ સર્જાશે.
ધો.૧૨ સાયન્સમાં આ વર્ષે એ ગ્રુપમાં ૫૭૫૧૧ જયારે બી ગ્રૂપમાં ૮૯૭૬૦ અને એબી ગ્રૂપમાં ૩૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
2019માં વર્ષે એ ગ્રૂપમાં અંદાજે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે. જયારે બી ગ્રૂપમાં અંદાજે ૧૨ હજાર જેટલા વિદ્યાર્થીઓનો વધારો થયો છે.
ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર સીસ્ટમ પ્રમાણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેમના માટે આ છેલ્લી તક છે. જયારે એનસીઇઆરટી પ્રમાણેના પાયલોટ પ્રોજેક્ટમા સામેલ થયેલી સ્કૂલોના ૧૨૨૬૩ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
