GSEB 12 Commerce : ૩.૭૧ લાખમાંથી ૨.૮૩ લાખ પાસ થયા

ગુજરાતમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૬.૨૯ ટકા જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨.૮૩ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું ૮૬.૬૭ ટકા આવ્યું હતું જ્યારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢનું ૫૮.૨૬ ટકા આવ્યું છે. સુરત શહેરમાં એ-૧ ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં ૧૮૬, જ્યારે રાજકોટમાં ૧૦૮ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર ૪૦ વિદ્યાર્થીઓ જ એ-૧ ગ્રેડમાં પાસ થયા છે.
તાજેતરમાં જાહેર થયેલા ધો. ૧૦ અને ધો. ૧૨ સાયન્સનું પરિણામ ગત વર્ષની સરખામણીએ ઘટ્યું હતું પણ આજે જાહેર થયેલું ધો.૧૨ કોમર્સનું પરિણામ ત્રણ ટકા વધ્યું છે. જ્યારે આ વર્ષે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓ અગ્રેસર રહી છે. પરીક્ષામાં ૮૨.૨૦ ટકા વિદ્યાર્થિનીઓ અને ૭૦.૯૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ૨૦૧૯માં ૭૩.૨૭% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે ૭૬.૨૯% પરિણામ જાહેર થયું છે. બીજી તરફ ત્રણેય રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થીઓ જ આખા રાજ્યમાં ટોપ પર રહ્યા છે. માર્ચ- ૨૦૨૦ની પરીક્ષા માટે રેગ્યુલર ૩.૭૪ લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા, જ્યારે કે ૭૯ હજાર વિદ્યાર્થીઓ રિપિટર તરીકે રજિસ્ટર્ડ થયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


