મગ સિવાયના બધા કઠોળ પર સ્ટોકમર્યાદા
મગને બાદ કરતા તમામ કઠોળ પર સ્ટોક મર્યાદા દાખલ કરી દીધી છે. જથ્થાબંધ વેપારીઓ, રિટેઇલરો, આયાતકારો અને તમામ મિલરોને મર્યાદા લાગુ પડશે અને ઓક્ટોબર સુધી તેનો અમલ કરવામાં આવશે.
સરકારે ગયા વર્ષે જ ત્રણ મોટાં કૃષિ સુધારા પસાર કરાવ્યા હતા. એમાં સ્ટોક મર્યાદામાંથી આવશ્યક ચીજોને કાઢી નાખવામાં આવી હતી. જોકે સરકારે ફરીથી ભાવને કાબૂમાં કરવા આ કાયદો લાગુ કરવો પડયો છે. કઠોળના વાવેતરનો સમય ચાલી રહ્યો છે ત્યારે સ્ટોક મર્યાદાને લીધે ભાવમાં કડાકો બોલી જશે તો વાવેતર પર ગંભીર અસર પડવાની શક્યતા છે.
સરકારી પરિપત્ર પ્રમાણે જથ્થાબંધ વેપારીઓ માટે 200 ટનની મર્યાદા નક્કી થઇ છે. જથ્થાબંધ વેપારીઓ 200 ટન કરતા વધારે સ્ટોક કોઇપણ એક અથવા બધા કઠોળનો રાખી શકશે નહીં. રિટેઇલ વેપારીઓ માટે આ મર્યાદા પાંચ ટનની રાખવામાં આવી છે.
મિલરો માટે સ્ટોક મર્યાદા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. તેમણે છેલ્લાં ત્રણ માસના ઉત્પાદનની સરેરાશ અથવા ઇન્સ્ટોલ કરેલી ક્ષમતાના 25 ટકા બેમાંથી જે વધારે હોય તેટલો સ્ટોક રાખવાનો છે. આયાતકારો માટે સ્ટોક મર્યાદા 15મી મે 2021 પહેલા હતી તે રાખવામાં આવી છે. 15મી મે પછી આયાત કરેલા કઠોળનો નિકાલ 45 દિવસમાં કરી નાખવાનો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


