સુરત-દ્વારકા, કંડલા-માંડવી વચ્ચે Sea Plane સેવા માટે EoI મંગાવાયા

ભારતની જળમાર્ગ મંત્રાલયે સાગરમાલા સીપ્લેન સેવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મગાવ્યા છે. મંત્રાલયે યમુના રિવરફ્રન્ટથી અયોધ્યા, ટિહરી, શ્રીનગર અને ચંડીગઢ, મુંબઈથી શિરડી, લોનાવાલ અને ગણપતિપુલે, સુરતથી દ્વારકા, માંડવી અને કંડલા ઉપરાંત અંડમાન અને નિકોબારથી લક્ષદ્વીપ સમૂહ માટે ઈઓઆઈ માગ્યા છે.
આ રૂટ ઉપર સીપ્લેન ઉડાન યોજના હેઠળ સંચાલીત કરવામાં આવશે. આ સ્કીમ હેઠળ સામાન્ય લોકો વાજબી કિંમતમાં મુસાફરી કરી શકે છે.
મંત્રાલયે પરિયોજના માટે એક હબ અને સ્પોક મોડલનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. પરિયોજનાના સફળતાપૂર્વક શરૂ થવા ઉપર નક્કી રૂટ ઉપર સેવા શરૂ થઈ શકે છે. અમદાવાદ રિવર ફ્રન્ટથી કેવડિયા સુધી સ્પાઈસજેટ કંપની સીપ્લેન સેવા આપે છે.
કંપની આ માટે 15 સીટર ટ્વીટ ઓટેર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. જે દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


