સૂર્યમુખી, સોયાતેલની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડાતા ખાદ્યતેલ સસ્તું થશે
સામાન્ય નાગરિકોને રાહત આપવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈ ખાદ્યતેલ પરનો કરવેરો ઘટાડી દીધો છે. સોયાતેલ અને સૂર્યમુખી તેલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી પણ ઘટાડીને અડધી કરી દેવામાં આવી છે.

The effective duty, which includes cess and other charges, on crude palm oil will be 30.25%, while for refined palm oil it would be 41.25%
સોયાતેલ અને સૂર્યમુખી તેલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ૧૫ ટકાથી ઘટાડીને સાડાસાત ટકા કરી દેવામાં આવી છે જેને કારણે તહેવારો દરમિયાન નાગરિકોને થોડી રાહત મળશે.
જોકે, સરકારે જાહેર કરેલી આ કપાત ૩૦ સપ્ટેમ્બર સુધી જ હશે.
નિષ્ણાતોનું કહેવું છે કે આનો સીધો મતલબ વિદેશથી મગાવવામાં આવતું ખાદ્યતેલ સસ્તું થઈ જશે. દેશની ખાદ્યતેલની કુલ વાર્ષિક જરૂરિયાત અંદાજે ૨.૫ કરોડ ટન જેટલી છે જેની સામે વર્તમાન સમયમાં ઘરઆંગણે ખાદ્યતેલનું ઉત્પાદન અંદાજે ૭૦થી ૮૦ લાખ ટન જેટલું હોવાને કારણે ભારત સરકાર એક વરસમાં રૂ. ૬૦,૦૦૦થી રૂ. ૭૦,૦૦૦ કરોડ ખર્ચીને ૧.૫ કરોડ ટન ખાદ્યતેલની ખરીદી કરે છે.
ગયા વરસે ભારતે મલયેશિયા અને ઈન્ડોનેશિયા પાસેથી ૭૨ લાખ ટન પામતેલ આયાત કર્યું હતું. બ્રાઝિલ અને આર્જેન્ટિના પાસેથી ૩૪ લાખ ટન સોયાતેલ તેમ જ રસિયા પાસેથી પચીસ લાખ ટન સૂર્યમુખી તેલની આયાત કરી હતી.
માગ અને પુરવઠા વચ્ચેની આ ખાઈને કારણે ઘરેલું બજારમાં ભાવ પર અસર જોવા મળે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
