ગુજરાતના૧૮ શહેરોમાં હવે (27 જુનથી) રાત્રી કરફ્યૂ રાત્રે 10થી સવારે 6
ગુજરાતમાં ૧૦મી જુલાઈ સુધી વેપારીઓ, વ્યવસાયીઓ અને તમામ સ્ટાફે ૧૦મી જુલાઈ સુધીમાં ફરજિયાત રીતે કોરોનાની રસી લેવી પડશે. જોકે અમદાવાદ સહિત ૧૮ શહેરોમાં ૩૦મી જૂન સુધી રસી લેવાની રહેશે.
રાજ્યની અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિત આઠ મહાનગરપાલિકા તેમજ વાપી, અંકલેશ્ર્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર સહિત કુલ ૧૮ શહેરોમાં રાત્રી કરફ્યૂ સહિતનાં નિયંત્રણો ચાલુ રહેશે. આ ૧૮ શહેરોમાં રાત્રી કરફયૂનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો છે. રાજ્યના કુલ ૩૬માંથી ૧૮ શહેરોમાં કરફ્યૂ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરાનો સમાવેશ થાય છે.
તેમજ રાજ્યનાં સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. તેમજ લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે.
આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦મી જૂન સુધીમાં વૅક્સિન ફરજિયાત લેવાની રહેશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ મી જુલાઇ સુધીમાં વૅક્સિન ફરજિયાત લેવાની રહેશે.
આ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
