ખેડૂત આંદોલનને સમર્થન : 8/12થી ટ્રાન્સપોર્ટર્સની રાષ્ટ્રવ્યાપી હડતાળ
ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટ યૂનિયન એ આગામી 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાળનું એલાન કર્યુ હતું.

આશરે એક કરોડ માલવાહક ટ્રક ડ્રાઇવરોનું પ્રતિનિધિત્વ સંભાળી રહેલા સર્વોચ્ચ ટ્રાન્સપોર્ટ બોડી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ-AIMTCએ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કર્યુ હતું અને ઉત્તર ભારતના રાજ્યો સહિત દેશભરમાં જરુરી વસ્તુઓની અવર-જવર પર રોક લગાવતી હડતાળનું એલાન કર્યુ હતું.
AIMTCના અધ્યક્ષ કુલતારન સિંહ અટવાલનું કહેવુ હતું કે જો સરકાર આંદોલનકારી ખેડૂતોની માંગોને નહીં માને તો અમે સમગ્ર ભારતને ચક્કાજામ કરીશું. AIMTCનું કહેવુ હતું કે ખેડૂતો તેમના કાયદેસરના અધિકારો માટે લડી રહ્યા છે. ભારતના પરિવહન ક્ષેત્રની માફક, કૃષિ ક્ષેત્ર પણ દેશની જીવનદોરી છે. દેશના 70 ટકા ગામડાઓ ખેતી પર નિર્ભર છે. ખેડૂતોના આંદોલનથી સંપૂર્ણ ઉત્તર ભારત અને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરથી આવતા હજારો ટ્રકો પ્રભાવિત થયા છે અમે એમનુ સમર્થન કરીએ છીએ કારણ કે 65 ટકા ટ્રક ખેતી સાથે જોડાયેલી ચીજોના ટ્રાન્સપોર્ટમાં છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


