ખેડૂતોના ચક્કાજામથી દેશના અનેક શહેરો સમસ્યાગ્રસ્ત

26 જાન્યુઆરીએ કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે, ચક્કાજામની જાહેરાતને પગલે બપોરે 12થી 3 દરમિયાન સાવચેતીના ભાગરૂપે દિલ્હી મેટ્રોના ઘણા સ્ટેશનોના દરવાજા બંધ કરાવી દીધી હતી.
દિલ્હી મેટ્રો રેલ નિગમ (ડીએમઆરસી) પહેલાથી જ એલર્ટ પર હતું. શનિવારે દિલ્હી પોલીસને હાઈએલર્ટ પર રહેવાની સૂચના મળી હતી, પણ ખેડૂતોની સામે તેઓ લાચારી અનુભવતા જોવા મળ્યા હતા.
ઉત્તર ભારતના અનેક શહેરોમાં ખેડૂતોના ચક્કાજામના કાર્યક્રમોને પગલે સામાન્ય જનજીવન ખોરવાય ગયું હતું જોકે, 26મી જાન્યુઆરીની ઘટનાઓ બાદ બોધપાઠ લઇને ખેડૂત અને પોલીસ બન્નેએ સંયમપૂર્વક વર્તીને મોટી અવ્યવસ્થા સર્જવાથી બચ્યા હતા.
દિલ્હીની સુરક્ષામાં 50 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. જેમાં બોર્ડર સહિત વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં દિલ્હી પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ અને અર્ધ સૈનિક દળના જવાનો શામેલ છે. આઇટીબીપી, સીઆરપીએફ અને એઆઈએફને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ સોંપવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં ખાસ સેલની SWAT ટીમ અને એનએસજીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
