કુબેર ભંડારીના દર્શન ૩૧મી જુલાઇ સુધી બંધ : શ્રાવણ માસમાં ભારે ભીડ થતી હોય છે

વડોદરા જિલ્લા વહિવટી તંત્રની હદમાં આવતા કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર તા.31મી જુલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રાવણ માસમાં અહીં ભારે ભીડ થતી હોઇ, તા.19મી જુલાઇએ જિલ્લા કલેક્ટરેટના અધિકારીઓએ મંદિરની મુલાકાત લઇને આજે તા.20મી જુલાઇથી આતા.૩૧મી સુધી મંદીરના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત કુબેર ભંડારી ભગવાનના દર્શન માટે અમાસ નું મહત્વ રહેલું છે. દેશવ્યાપી લોકડાઉનનાને કારણે છેલ્લા ચાર મહિના પછી અમાસના દર્શન બંધ હતા. હવે શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે દર્શનનો લાભ ભાવિક ભક્તોને મળી રહે તે માટે કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.
અમાસ અને શ્રાવણ મહિના ને ધ્યાનમાં રાખીને કુબેર ભંડારી ટ્રસ્ટ’ના સંચાલકોએ રાજ્ય સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી તમામ વ્યવસ્થા નું આયોજન કર્યું હતું.
પણ રાજ્ય સરકારની સૂચનાને ધ્યાનમાં રાખી કુબેર ભંડારી દર્શના ટ્રસ્ટી મંડળ તાત્કાલિક તેનો અમલ શરૂ કર્યો હતો. આજથી મંદિરના દ્વાર તારીખ ૩૧ જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. આજે અમાસની પૂર્વે દર્શન માટે આવતા અનેક ભાવિક ભક્તો રાજ્ય સરકારના અચાનક નિર્ણયને કારણે મંદિરે દર્શન કર્યા સિવાય ડેલીએ હાથ દઇ પરત ફરવાનો વારો આવ્યો હતો.
કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યા જણાવ્યું છે કે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આવતીકાલે અમાસના દર્શન અને શ્રાવણ મહિના દરમિયાન રાજ્ય સરકારની સૂચના પ્રમાણે તારીખ ૩૧ જુલાઈ સુધી કુબેર ભંડારી મંદિર ભાવિક ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે તેમજ પૂજા વિધિ કે પછી અન્ય ધાર્મિક વિધિ પણ મંદિર ખાતે કરવામાં આવશે નહીં સાથે સાથે ધર્મશાળા અને ભંડારો પણ બંધ રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


