CIA ALERT

સ્કુલોમાં આવી રહ્યા છે દફતર મુક્ત (Bagless) દિવસો, દિલ્હીથી શરૂઆત

Share On :

Std. 6થી 8માં વર્ષ દરમિયાન 10 બેગલેસ દિવસો ગોઠવવા સ્કુલોના આચાર્યોને ગાઇડલાઇન્સ અપાઇ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નવી દિલ્હીના શિક્ષણ નિયામક કચેરીએ તા.22મી ઓક્ટોબર 2024ના રોજ દિલ્હીની સરકારી અને ખાનગી શાળાઓના ધો.6થી 8ના વર્ગોમાં 10 બેગલેસ (દફતરમુક્ત) દિવસોના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરી હતી. એક પરિપત્રમાં નવી દિલ્હીના શિક્ષણ વિભાગએ તમામ શાળાઓના વડાઓને ધો.છથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં વર્ષ દરમિયાન 10 બેગલેસ (દફતર મુક્ત) દિવસનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની ભલામણો અનુસાર આ માર્ગદર્શિકા વિકસાવવામાં આવી રહી છે અને “શાળાઓમાં વિદ્યાર્થીઓના ભણતરના અનુભવને પ્રાયોગિક, આનંદકારક અને તણાવમુક્ત બનાવવાનો ઉદ્દેશ્ય” દફતર મુક્ત દિવસો પાછળનો છે.

“શાળાઓમાં અભ્યાસ સિવાયના ઉપલબ્ધ સંસાધનોને ઑપ્ટિમાઇઝ કરવા માટે પ્રવૃત્તિઓ કાળજીપૂર્વક પસંદ કરી શકાય છે. હેપ્પીનેસ અભ્યાસક્રમના અમલીકરણ દરમિયાન હાથ ધરવામાં આવતી બેગલેસ પ્રવૃત્તિઓ અથવા પ્રવાસની મુલાકાતો, વર્કશોપ, ટ્રેનિંગ, સ્પોર્ટસ, નેચર વોક, હેરીટેજ વોક, ટ્રેડિશનલ-કલ્ચરલ ઇન્ટ્રોડક્શન, સ્વચ્છતા અભિયાન, વગેરે પ્રવૃતિઓનો બેગલેસ દિવસોમાં સમાવેશ કરી શકાય છે,” શિક્ષણ નિયામકની કચેરીએ ઉમેર્યું હતું.

“આ દિશાનિર્દેશો હેઠળ, વિદ્યાર્થીઓ ઐતિહાસિક સ્મારકો, સાંસ્કૃતિક સ્થળો, હસ્તકલા કેન્દ્રો, પ્રવાસીઓની રુચિના સ્થળો અને ઘણા બધા સ્થળોની મુલાકાત લઈ શકે છે. તેઓ કલાકારો અને કારીગરોને મળી શકે છે, વિવિધ વિભાવનાઓ અને પરંપરાઓ વિશેની તેમની સમજને વિસ્તૃત કરી શકે છે, અને તેમને વારસાની જાળવણીના મહત્વને સમજવામાં મદદ કરી શકે છે,” માર્ગદર્શિકાએ જણાવ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :