CIA ALERT

આજે દેવ દિવાળી

Share On :

શેરડીમાં મીઠાશ હોય છે એટલે તેના મંડપમાં તુલસી વિવાહ કરવાથી લગ્ન જીવન મધુરું રહે છે

આજરોજ તા.8મીને શુક્રવારે દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળી છે. આજથી માંગલિક કાર્યોનો આરંભ થશે. આજના પવિત્ર દિવસે શેરડીના મંડપમાં ભગવાન વિષ્ણુ અને તુલસીજીના વિવાહ કરવાનું મહત્ત્વ છે. આ દિવસથી લગ્ન જેવા શુભ પ્રસંગોનો આરંભ થાય છે.

દેવદિવાળી અંગે

કારતક સુદ અગિયારસને આજે શુક્રવારે દેવ દિવાળી છે. અષાઢ સુદ અગિયારસે દેવતાઓ પોઢી જાય છે અને કારતક સુદ અગિયારસે દેવતાઓ જાગે છે અને લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. ભગવાન વિષ્ણુ જ્યારે બલીરાજાના દ્વારપાળમાંથી છૂટીને પાછા ફરે છે ત્યારે દેવતાઓ દિવાળી જેવો ઉત્સવ ઉજવે છે. એટલે એને દેવતાઓની દિવાળી કહે છે.

લગ્નપ્રસંગ

આજના દિવસે સવારે ઘરનાં આંગણામાં અથવા અગાસીએ તુલસી સાથે શાલીગ્રામ પધરાવવા તુલસીજી ઉપર ચૂંદડી ઓઢાડવી. ત્યારબાદ શેરડીનો સાઠો રાખવો. ભગવાનને લીલા કુદરતી મંડપનું મહત્ત્વ હોવાથી ભગવાન શેરડીના સાઠાનું અહીં મહત્ત્વ છે. ભગવાનને શેરડી ધરાવવામાં પણ  આવે છે. શેરડીમાં મીઠાશ હોવાથી અને શેરડીનો મંડપ બનાવી તુલસીજીના વિવાહ કરવાથી દામ્પત્ય જીવનમાં પણ મીઠાશ આવે છે. જે યુવક-યુવતીઓના વિવાહ થતા ન હોય તેવા યુવક-યુવતીઓએ તુલસી વિવાહ કરાવવા જેથી લગ્ન યોગ થાય.


Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :