CIA ALERT

3/5/21 : Gujartમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો

Share On :

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12,978 કેસો નોંધાયા છે અને સામે 11,146 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 1,27,009 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં કુલ 98,73,963 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 25,57,405 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂરું થયું છે. આમ કુલ 1,24,31,368 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં સાજા થવાનો દર 74.05 ટકા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 153 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 7508 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 440276 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે કુલ એક્ટિવ કેસો 146818 છે જેમાં 722 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 146096 દર્દીઓ સ્ટેબલ છે.

જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4683, સુરતમાં 1494, મહેસાણામાં 565, વડોદરામાં 523, ભાવનગરમાં 436, રાજકોટમાં 401, જામનગરમાં 398 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો બનાસકાંઠામાં 226, ખેડામાં 174, પાટણમાં 173, કચ્છમાં 169, મહીસાગરમાં 169, આણંદમાં 161, ગાંધીનગરમાં 153, જુનાગઢમાં 146, સાબરકાંઠામાં 142, નર્મદામાં 121, અમરેલીમાં 119, વલસાડમાં 117, પંચમહાલમાં 109, ગીર સોમનાથમાં 104, છોટા ઉદેપુર અને નવસારીમાં 97, સુરેન્દ્રનગરમાં 92, મોરબીમાં 90, તાપીમાં 89, અરવલ્લીમાં 80, દાહોદમાં 67, પોરબંદરમાં 53 નવા કેસો નોંધાયા છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા કેસોની સ્થિતિ આ મુજબ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :