સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થુમાં 11% વધારો

Share On :

 કેન્દ્રના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના ડીએમાં જુલાઇથી ૧૭ ટકાને બદલે ૨૮ ટકાનો જંગી વધારો કરવાનો નિર્ણય કેબિનેટે લીધો હોવાની માહિતી કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે બુધવારે જાહેર કરી હતી. 

જોકે, ૦૧.૦૧.૨૦૨૦થી ૩૦.૬.૨૦૨૧ સુધીના ગાળાનું ન ચૂકવાયેલું ઍરિયર્સ આપવામાં નહીં આવે. કોવિડ-૧૯ના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૧ જાન્યુઆરી ૨૦૨૦, ૧ જુલાઇ ૨૦૨૦ અને ૧ જાન્યુઆરી ૨૦૨૧માં ડયૂ થયેલા ડીએ અને ડીઆર કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપ્યા નહોતા. કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના ગયા વર્ષથી રોકવામાં આવેલા ડીએ (મોંઘવારી ભથ્થુ) અને ડીઆર (ડિયરનેસ રિલીફ)ને ફરીથી શરૂ કરવાનો અને એનો દર ૧૧ ટકા વધારીને ૨૮ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉ એ દર બેઝિક પૅ/પૅન્શનના ૧૭ ટકા હતો. 

ઠાકુરે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી કેન્દ્રની તિજોરી પર રૂ. ૩૪,૪૦૧ કરોડનો બોજો પડશે. જોકે, આ નિર્ણયનો લાભ ૪૮.૩૪ લાખ કેન્દ્રીય કર્મચારી અને ૬૫.૨૬ લાખ પેન્શનર્સને મળશ

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :