CIA ALERT

બેંક ડૂબશે તો 90 દિવસની અંદર ખાતેદારોને મળશે નાણાં

Share On :

કેન્દ્રીય કેબિનેટે બુધવારે મળેલી બેઠકમાં DICGC એક્ટમાં ફેરફારને મંજૂરી આપી છે. હવે આ અંગે બિલ સંસદમાં મુકવામાં આવશે. આનાથી કોઇ બેંક ડૂબશે તો વીમા હેઠળ ખાતેદારોને નાણાં ૯૦ દિવસની અંદર મળી જશે.  

​​​​​​​નાણામંત્રી નિર્મલા સીતારમણે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) એક્ટમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. નાણામંત્રી કહ્યું કે, કેબિનેટે આજે ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન બિલ, ૨૦૨૧ને મંજૂરી આપી છે. આ બિલ સંસદના મોનસુન સત્રમાં મુકવામાં આવશે.

આ ફેરફારથી ખાતેદારો અને રોકાણકારોને પૈસાની સુરક્ષા મળશે. આ મંજૂર થતાં કોઇ બેંક ડૂબશે તો વીમા હેઠળ ખાતેદારોને નાણાં ૯૦ દિવસની અંદર મળી જશે. તેમણે કહ્યું કે, આની હેઠળ કોમર્શિયલી ઓપરેટેડ તમામ બેંક આવશે. આ પ્રકારના વીમા માટે પ્રીમિયમ બેંક આપે છે, ગ્રાહક નહીં.

DICGC ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સબસિડિયરી છે. તે બેંક થાપણો પર વીમા કવર પ્રદાન કરે છે. અત્યાર સુધી નિયમ હતો કે, થાપણદારોને ૫ લાખ રૂપિયાના વીમા પર પણ ત્યાં સુધી પૈસા નહીં મળે, જ્યાં સુધી રિઝર્વ બેંક કેટલીક પ્રક્રિયાઓ પૂરી ના કરે. આના લીધે લાંબા સમય સુધી થાપણદારોને નાણાં મળતાં નહોતા. પરંતુ એક્ટમાં ફેરફારથી ગ્રાહકોને રાહત મળશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :