ગૌતમ અદાણીના 43,500 કરોડ રૂપિયાના શેર ફ્રીઝ

ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના નેતૃત્વ વાળી કંપની અદાણી ગ્રુપ માટે એક માઠા સમાચાર છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ દ્વારા ત્રણ વિદેશી ફંડ્સ અલ્બુલા, ક્રેસ્ટા અને એપીએમએસ ફંડના અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. તેમની પાસે અદાણી ગ્રુપની ચાર કંપનીઓના 43,500 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યના શેર છે.
એનએસડીએલની વેબસાઈટ અનુસાર, આ અકાઉન્ટને 31 મે અથવા તે પહેલા ફ્રીઝ કરાયા હતા.
આ ત્રણ ફંડની અદાણી એન્ટરપ્રાઈઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા ભાગીદારી છે. કસ્ટોડિયન બેન્કો અને વિદેશી રોકાણકારોને હેન્ડલ કરતી લો ફર્મ્સ અનુસાર, આ વિદેશી ફંડ્સને બેનિફિશિયલ ઓનરશિપ વિષે પૂરતી જાણકારી નહીં હોય, માટે તેમના અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, લગભગ કસ્ટોડિયન પોતાના ક્લાયન્ટ્સને આ પ્રકારની કાર્યવાહી વિશે જાણકારી આપે છે, પરંતુ જો ફંડ આ બાબતે જવાબ નથી આપતા અથવા તેનું પાલન નથી કરતા તો તેમના અકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. અકાઉન્ટ ફ્રીઝ થવાનો અર્થ છે કે, ફંડ વર્તમાન સિક્યોરિટી વેચી નથી શકતા અને નવી સિક્યોરિટી ખરીદી નથી શકતા. આ બાબતે એનએસડીએલ, સેબી અને અદાણી ગ્રુપને મોકલવામાં આવેલા ઈમેઈલનો કોઈ જવાબ નથી મળ્યો. ફાંડિંગ કંપનીઓ સાથે સંપર્ક સાધી નથી શકાયો.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


