ભારતમાં કોરોના ડેથરેટ 90000 : 15 હજારના મોત છેલ્લા 13 જ દિવસમાં
એક તરફ કેન્દ્ર્ સરકાર સતત એવા દિલાસા આપી રહી છે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના મૃત્યુદર સાવ ઓછો છે. પરંતુ, હકીકત એ છે કે સસલાની ગતિએ નહીં પરંતુ, કાચબાની ગતિએ પણ ભારતમાં કોરોના મૃત્યુદર વધી રહ્યો છે.
ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 90,000ને પાર થઈ ગઈ છે. જેમાં માત્ર 13 દિવસમાં 15,000 કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
તા.23મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં વધુ 86,000 કરતા વધારે લોકોનું કોરોના ટેસ્ટીંગ પોઝિટિવ આવ્યું હોવાના અહેવાલોની સાથે જ, સપ્ટેમ્બર માસમાં ભારતમાં 20,00,000 કરતા વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જે કોઈ એક મહિનામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે અને હજુ પણ તેમાં 6 દિવસના કેસ ઉમેરાવાના બાકી છે.
ભારતમાં એક દિવસમાં વધુ 86,825 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બર મહિનાના 23 દિવસ દરમિયાન 20,44,570 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોઈ પણ મહિનામાં નોંધાયેલા કેસ કરતા વધુ છે. આ આંકડો દુનિયાના બાકી દેશોને પણ પણ પાછળ છોડી રહ્યો છે. બીજી તરફ હજુ 7 દિવસના આંકડા બાકી છે જેથી તેની સંખ્યામાં હજુ પણ વધારો થશે.
ભારતમાં 86,000 કરતા વધુ નવા કેસ નોંધાવાની સાથે દેશમાં કુલ કેસનો આંકડો બુધવારે 57 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં હવે કોરોનાના કુલ કેસ 57,27,193 થયા છે, જેમાંથી 46,63,623 દર્દીઓ સાજા થઈ ગયા છે. એટલે ભારતનો રિકવરી રેટ 81.4% થયો છે.
કેરળમાં પહેલી વખત 5000 કરતા વધુ કેસ નોંધાયા છે જે ચિંતામાં વધારો કરી રહ્યા છે. અહીં પહેલીવાર એક દિવસમાં 5,376 કેસ નોંધાયા છે. આ સિવાય રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં પણ એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ તોડ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


