Corona Update 19/3 : India 35,871, Gujarat : 1276, Surat : 324
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા એક દિવસ દરમિયાન કોવિડ-૧૯ના ૩૫,૮૭૧ નવા દરદી નોંધાયા હતા. આ સંખ્યા છેલ્લા ૧૦૨ દિવસની સૌથી વધુ હતી. આ સાથે દેશમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા વધીને ૧,૧૪,૭૪,૬૦૫ થઇ ગઇ હતી.
દેશમાં છેલ્લા આઠ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. કોવિડ-૧૯ના ઍક્ટિવ દરદીઓની સંખ્યા વધીને ૨,૫૨,૩૬૪ થઇ ગઇ છે. આ સંખ્યા કુલ દરદીઓના ૨.૨ ટકા છે. ગુરુવારે સવારના ૮ વાગ્યા સુધીમાં મળેલા દરદીઓના આંકડા મુજબ કોરોનાના દરદીઓ સાજા થવાની ટકાવારી ઘટીને ૯૬.૪૧ ટકા થઇ હતી.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાથી વધુ ૧૭૨ દરદી મૃત્યુ પામતા કુલ મરણાંક વધીને ૧,૫૯,૨૧૬ થઇ ગયો હતો.
અગાઉ, છઠ્ઠી ડિસેમ્બરે એટલે કે ૧૦૨ દિવસ પહેલાં દેશમાં કોરોનાના ૩૬,૦૧૧ દરદી નોંધાયા હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે દેશમાં ૧૭મી માર્ચ સુધીમાં કોરોના માટે ૨૩,૦૩,૧૩,૧૬૩ સૅમ્પલ તપાસાયા હતા.
Gujarat on 19/3
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1276 કેસો નોંધાયા છે. 899 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે 3 દર્દીઓના મોત થયા.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 304 (અમદાવાદ કોર્પોરેશન 298 અને અમદાવાદ 6), સુરતમાં 395 (સુરત કોર્પોરેશન 324 અને સુરત 71), વડોદરામાં 129 (વડોદરા કોર્પોરેશનમાં 111 અને વડોદરા 18) અને રાજકોટમાં 113 કેસો (રાજકોટ કોર્પોરેશનમાં 98 અને રાજકોટ 15) કોરોના વાયરસના નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,72,332 દર્દીઓ સાજા થયા છે. આજે કુલ 1,55,174 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Reported on 18/3/21
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮,૯૦૩ નવા કેસ નોંધાવાની સાથે દૈનિક ધોરણે આ વર્ષનો સૌથી વધુ વધારો નોંધાયો હતો અને કેસની કુલ સંખ્યા ૧,૧૪,૩૮,૭૩૪ થઇ છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
કોરોનાને કારણે થયેલાં મૃત્યુની સંખ્યા વધીને ૧,૫૯,૦૪૪ થઇ છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલાં ૧૮૮ મૃત્યુનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં કોરોનાના ૨,૩૪, ૪૦૬ સક્રિય કેસ છે. કોરોનાથી સાજા થવાનો દર ઘટીને ૯૬.૫૬ ટકા થયો છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૧,૧૦,૪૫,૨૮૪ લોકો સાજા થયા છે. આઇસીએમઆરના જણાવ્યા મુજબ ૧૬ માર્ચ સુધીમાં ૨૨,૯૨,૪૯,૭૮૪ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં મંગળવારે કરવામાં આવેલા ૯,૬૯,૦૨૧ સેમ્પલનો સમાવેશ થાય છે.
દેશમાં નવા નોંધાયેલા કુલ કેસમાં પાંચ રાજ્યનો હિસ્સો ૭૦ ટકાથી વધુ
દેશમાં બુધવારે કોરોનાના નવા વધુ ૨૮,૯૦૩ કેસ નોંધાયા હતા જેમાં પાંચ રાજ્ય (મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ)નો હિસ્સો ૭૧.૧૦ ટકા જેટલો હોવાનું આરોગ્ય ખાતાએ કહ્યું હતું.
કોરોનાના સૌથી વધુ દૈનિક નવા કેસને મામલે કેરળ છઠ્ઠા સ્થાને રહ્યું હતું.
જોકે, કેરળમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
કેરળ સહિત દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ કેસમાં છ રાજ્યનો હિસ્સો ૮૩.૯૧ ટકા જેટલો થતો હોવાનું તેમણે કહ્યું હતું.
એક જ દિવસમાં દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ ૨૮,૯૦૩ કેસમાં મહારાષ્ટ્રના ૧૭,૮૬૪ કેસનો સમાવેશ થાય છે જે કુલ કેસના ૬૧.૮ ટકા જેટલા હોવાનું તેમણે કહ્યું હતું.
દેસમાં કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબનો હિસ્સો ૭૬.૪ ટકા અને એકલા મહારાષ્ટ્રનો હિસ્સો ૬૦ ટકા જેટલો હોવાનું તેમણે કહ્યું હતું.
Gujarat
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૧૨૨ દર્દીઓ નોંધાયા હતા. તેની સામે ૭૭૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ કુલ ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૨,૮૧,૧૭૩ પર પહોંચ્યો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ ૨,૭૧,૪૩૩ છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૪,૪૩૦ પર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં ૩૫૩, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪, રાજકોટમાં ૧૧૨, ભરૂચમાં ૨૧, મહેસાણામાં ૧૯, જામનગરમાં ૧૯, ખેડામાં ૧૮, પંચમહાલમાં ૧૮, વડોદરામાં ૧૭, ભાવનગરમાં ૨૨, ગાંધીનગરમાં ૨૪, કચ્છમાં ૧૪, આણંદમાં ૧૩, દાહોદમાં ૧૨, નર્મદામાં ૧૨, સાબરકાંઠામાં ૧૦, છોટાઉદેપુરમાં ૯, અમરેલીમાં ૮, જૂનાગઢમાં ૧૨, મહીસાગર, મોરબીમાં ૮-૮, અરવલ્લી, બનાસકાંઠા, ગીરસોમનાથમાં ૪-૪, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ૨-૨. ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ૧-૧ નોંધાયો હતા.
રાજ્યમાં કોવિડ-૧૯ ના ૧૧૨૨ દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી ૭૭૫ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ ૯૬.૫૪ ટકા જેટલો છે. ૫,૩૧૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૧ છે. જ્યારે ૫,૨૪૯ લોકો સ્ટેબલ છે. ૨,૭૧,૪૩૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ ૪,૪૩૦ લોકોનાં મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૨૨,૭૧,૧૪૫ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૫,૫૪,૬૬૨ વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે ૬૦ વર્ષથી વધુ વયના તેમજ ૪૫ થી ૬૦ વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ ૫૨,૯૫૨ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
