CIA ALERT

ગુજરાત 16 જુલાઇના દિવસ દરમિયાન 919 નવા કેસ

Share On :

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૯૧૯ નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ ૮૨૮ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ડિસ્ચાર્જ કરાયા છે. આ સમયગાળામાં અમદાવાદ અને સુરતમાં પાંચ પાંચ મળી કુલ ૧૦ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ બન્ને શહેર-જિલ્લામાં અનુક્રમે નવા ૧૮૧ તથા ૨૬૫ કેસ નવા ઉમેરાયા છે. આ સિવાયના શહેર-જિલ્લામાં કેસ વધ્યા છે, પરંતુ કોવિડ-૧૯થી એકપણ દર્દીના મૃત્યુની આજે આરોગ્ય વિભાગના બુલેટિનમાં જાહેરાત કરવામાં આવી નથી.

જોકે, છેલ્લા પંદર દિવસથી સતત ૮૦૦-૯૦૦ કેસની રફતારના લીધે કુલ પોઝિટિવ કેસનો આંક રોકેટ ગતિએ વધીને ૪૫૦૦૦ને પાર થઇ ૪૫૫૬૭ સુધી પહોંચ્યો છે. જ્યારે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધીને કુલ ૩૨૧૭૪ થઇ ગઇ છે. અલબત્ત, મૃત્યુ આંક છેલ્લા વીસેક દિવસથી નવી ગાઇડલાઇન્સના લીધે રોજેરોજ વધતો ઘટ્યો છે. કુલ ૨૦૯૧ દર્દીના મૃત્યુ થયા છે જે સમગ્ર દેશમાં કેસની સંખ્યાના પ્રમાણમાં સૌથી વધારે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :