CIA ALERT

અમારા માટે રાજનીતિ કરતા રાષ્ટ્રનીતિ વધુ મહત્ત્વની: કૉંગ્રેસ

Share On :

સરહદે ઊભી થયેલી સ્થિતિમાં રાજકીય ગતિવિધિને કોઇ સ્થાન ના હોઈ શકે તેવા એકમાત્ર વિચારે રાહુલજી એ આ કાર્યક્રમ સ્થગિત કર્યો છે, પરંતુ આવતીકાલે વડા પ્રધાને દેશભરમાં વીડિયો કોન્ફરન્સ કરીને લોકોને સંબોધવાનો કાર્યક્રમ હજુ સુધી યથાવત્ રાખ્યો છે, એવું ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું. પુલવામાં હુમલા પછી સરકારના પડખે ઊભી રહેલી કૉંગ્રેસ રાજકીય હિસાબો સમય આવે ચૂંટણીના મેદાનમાં પૂરા કરી લેશે, પરંતુ આજે જ્યારે પાકિસ્તાનનો હિસાબ કરવાનો સમય છે ત્યારે દેશનું અને સરકારનું પીઠબળ બની અડીખમ રહેશે આ ભાવના જ વિરોધીઓના મનોબળને તોડવા પૂરતી છે. રાજકીય મતભેદો અને વૈચારિક અંતર મીટાવી રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવવાની દિશામાં લેવાયેલા આ પગલા બદલ કૉંગ્રેસ પક્ષ અને દેશની જનતા રાહુલજી પર ગર્વ અનુભવે છે. પાકિસ્તાનને બે બે વખત યુદ્ધમાં પરાસ્ત કરી બે ભાગમાં વહેંચી દેનાર કૉંગ્રેસનો એક એક સિપાહી આજે રાહુલજીની દેશદાઝ અને સંવેદનશીલતા ને સલામ કરે છે. હવે મોદીજી આવતી કાલે જ તેમની દેશ વ્યાપી 15000 સ્થળોએ રાજકીય વિડિયો કોન્ફરન્સ કરવાના છે એ મોકૂફ રાખે છે કે પછી જેમ પુલવામામાં 42 જવાનોની શહીદી પછી જેમ તેમની રાજકીય રેલીઓ અને શૂટિંગ ચાલુ જ રાખ્યું હતું તેમ ચાલુ રાખે છે એ જોવાનું રહ્યું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :