CIA ALERT

રાકેશ ઝુનઝુનવાલાની ‘આકાસા એર’ને NOC

Share On :

ભારતીય શેર માર્કેટના વોરેન બફેટ ગણાતાં માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. આકાસા એરની યોજના આગામી વર્ષ 2022ની ગરમીઓમાં એરલાઈન સેવા શરૂ કરવાની છે. આકાસા બ્રાન્ડ નેમથી ભારતીય એવિએશન સેક્ટરમાં ઉતરી રહેલી SNV એવિએશન પ્રાઈવેટ લિમિટેડને સિવિલ એવિએશન મંત્રાલય દ્વાર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે.

અત્યાર સુધી આકાસા એરલાઈન અંગે વધારે જાણકારી સામે આવી નથી. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ એરલાઈનનું ભાડું અન્ય એરલાઈન્સ કરતાં ખુબ જ સસ્તું હશે. અને આ એરલાઈનમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ અંદાજે 247.50 કરોડ રૂપિયા એટલે કે 40 ટકા જેટલું હોઈ શકે છે. જો કે, આકાસા એરના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું કે, આકાશા એર ભારતીયો માટે દેશની સૌથી વધારે ડિપેન્ડેબલ, એફોર્ડેબલ અને ગ્રીનેસ્ટ એરલાઈન લોન્ચ કરશે.

લો કોસ્ટ કેરિયર એક નો ફ્રિલ્સ એરલાઈન્સ હોય છે, એટલે કે તેમાં ઈન ફ્લાઈટ એન્ટરટેઈન્ટમેન્ટ, ખાવા-પીવાની વસ્તુઓ તેમજ બિઝનેસ ક્લાસ સીટિંગ જેવી સુવિધાઓ નહીં હોય. અગાઉ ઈન્ડિય આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ કેપ્ટન જીઆર ગોપીનાથે વર્ષ 2003માં એર ડેક્કનની શરૂઆત કરી હતી. અને તે પણ ભારતની પ્રથમ લો કોસ્ટ એરલાઈન હતી. અન્ય એરલાઈન કંપનીઓનાં ભાડા કરતાં ડેક્કનનું ભાડું અડધું હતું. જો કે, 2007માં ગોપીનાથે એરલાઈનને વિજય માલ્યાને વેચી દીધી હતી. અને 2011માં આ કંપની બંધ થઈ ગઈ હતી.

એવી ખબર પણ સામે આવી રહી છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ પહેલાં હપ્તામાં 43.75 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. અને રાકેશ ઝુનઝુનવાલા તરફથી જ આ રોકાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુબઈના એક રોકાણકાર અને ન્યૂ હોરાઈઝન ઈન્વેસ્ટમેન્ટ ફંડના સંસ્થાપક માધવ ભટકુલીએ આકાસા એરમાં 17 ટકા માટે 6.24 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :