ધો.12 સાયન્સ એન્જિનિયરિંગ, ફાર્મસીના રજિસ્ટ્રેશન જુન એન્ડથી, JEE-GUJCET વગર રજિસ્ટ્રેશન થઇ શકશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ધો.12 સાયન્સ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ મે માસમાં આવી ચૂક્યું છે. હવે આ વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે મૂંઝવણ પણ અનુભવી રહ્યા છે અને અધીરા પણ બન્યા છે. વીર નર્મદ યુનિવર્સિટીએ બી.એસસી.માં પ્રવેશની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હવે ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી.)એ પણ જાહેરાત કરી છે કે ગુજરાતમાં આવેલી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી ચાલુ માસાંતે એટલે કે જુન માસના અંતમાં શરૂ કરી દેવામાં આવશે.
જેઇઇ, ગુજકેટ વગર રજિસ્ટ્રેશન

એડમિશન કમિટીએ સ્પષ્ટતા કરી છે કે સેન્ટ્રલ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ તેમજ જેઇઇ મેઇન્સ, ગુજકેટ વગેરે જેવી પરીક્ષાઓ લેવાની બાકી છે, આમ છતાં હાલ ધો.12 સાયન્સની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
પીન નંબર લેવા જવું નહીં, ઓનલાઇન ચાર્જ ભરવો

ગત વર્ષ સુધી એ.સી.પી.સી. દ્વારા ઇજનેરી, ફાર્મસી વગેરે માટે બેંક દ્વારા પીન નંબરનું વિતરણ કરવામાં આવતું હતું. આ વખતે કોવીડ-19ની પરિસ્થિતિને લીધે પીન નંબર વિતરણ વ્યવસ્થા બંધ રાખીને સીધા જ રજિસ્ટ્રેશન અને ઓનલાઇન ચાર્જીસની ચૂકવણી કરવાની રહેશે. વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન પીન માટે ક્યાંયે રૂબરું જવું નહીં પડે.
રજિસ્ટ્રેશન ચાર્જિસ

પ્રવેશ સમયે આ ડોક્યુમેન્ટસ જોઇશે

વિદ્યાર્થીઓ વાલીઓને રજિસ્ટ્રેશનમાં સમજ ન પડે તો હેલ્પ સેન્ટર પર જઇને રજિસ્ટ્રેશન મફતમાં થશે
એ.સી.પી.સી.એ સ્પષ્ટતા કરી છે કે જો વિદ્યાર્થીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં તકલીફ પડે તો તેઓ નિર્ધારિત હેલ્પ સેન્ટર પર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકશે. હેલ્પ સેન્ટર પર તમામ સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ બનશે. આના માટે કોઇ ચાર્જ આપવાનો રહેતો નથી.


આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
