CIA ALERT

લોકજનશક્તિ પાર્ટી: ચિરાગ પાસવાને પાંચ બળવાખોર સાંસદને પક્ષમાંથી કાઢી મૂક્યા

Share On :
Rebellion in LJP: JDU claims not behind split, BJP distances from Chirag  Paswan - India News

એલજેપીના બે જૂથ વચ્ચેનો ઝઘડો મંગળવારે વધુ તિવ્ર બન્યો હતો અને બંને જૂથ પક્ષની સત્તા લેવાના માર્ગે આગળ વધ્યા હતા. ચિરાગ પાસવાને પાંચ બળવાખોર સાંસદને પક્ષમાંથી કાઢી મુકયા હતા તો પારસના જૂથે ચિરાગને જ પક્ષ પ્રમુખપદેથી હટાવ્યો હતો. પોતાના કાકા પારસ દ્વારા પ્રમુખપદેથી હટાવાયા બાદ ચિરાગે આપેલી પહેલી પ્રતિક્રિયામાં પક્ષને પોતાની માતા ગણાવી હતી અને એનો દ્રોહ ન થાય એમ જણાવ્યું હતું. બિહાર યુનિટના કાર્યકારી પ્રમુખ રાજુ તિવારીએ જણાવ્યું હતું કે લોકસભાના એમના છ સાંસદમાંથી પાંચ સાંસદે પારસનો પક્ષ લીધો હતો, ચિરાગ પાસવાનની આગેવાનીવાળા જૂથે પક્ષની રાષ્ટ્રીય કાર્યકારીણી વર્ચ્યુઅલ બેઠક બોલાવી હતી અને એમાં ૭૬માંથી ૪૧ સભ્યએ ભાગ લીધો હતો. પક્ષ વિરોધી ગતિવિધી બદલ પાંચ વિદ્રોહી સાંસદને પક્ષમાંથી હાંકી કાઢવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. પારસના જૂથે એવો દાવો કર્યો હતો કે ‘એક વ્યક્તિ, એક પદ’ના સિદ્ધાંત અનુસાર ચિરાગ પાસવાનને પક્ષ પ્રમુખપદેથી હટાવવાનો નિર્ણય રાષ્ટ્રીય કારોબારીની ઇમરજન્સી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ટ્વિટર પર પાસવાને જણાવ્યું હતું કે એણે પોતાના પિતાએ સ્થાપેલા પક્ષને એકજૂથ રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સફળતા ન મળી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :