CIA ALERT

CBSEના ધો.12ની પરીક્ષામાં ગુજરાત રમખાણ પર પૂછાયેલા પ્રશ્નએ રમખાણ સર્જ્યું

Share On :

સેન્ટ્રલ બોર્ડની તા.1લી ડિસેમ્બરે ગુજરાતમાં ધો.12ના વિદ્યાર્થીઓની લેવાયેલી સમાજશાસ્ત્રની પરીક્ષામાં ગુજરાતના રમખાણો વિષય પર પૂછાયેલા એક પ્રશ્નએ ગુજરાતના રાજકારણ તેમજ સેન્ટ્રલ બોર્ડના તંત્રમાં મોટું રમખાણ સર્જ્યું છે. છેવટે સેન્ટ્રલ બોર્ડે એવી જાહેરાત કરી છે કે ગુજરાત રમખાણ પર અયોગ્ય સવાલ પૂછનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. સમગ્ર પ્રકરણ આ મુજબ જાણવા મળ્યું હતું.

સીબીએસઈએ બુધવાર તા.1લી ડિસેમ્બર 2021ના ધો. 12ની પરીક્ષામાં સમાજશાસ્ત્રના પ્રશ્ન પત્રમાં વિદ્યાર્થીઓને એ રાજકીય પક્ષનું નામ જણાવવા કહ્યું જેના કાર્યકાળમાં 2002માં ગુજરાતમાં કોમી મુસ્લિમ વિરોધી હિંસા થઈ હતી. સીબીએસઈએ આ પ્રશ્નને અયોગ્ય અને તેની ગાઈડલાઈન વિરુદ્ધનો ગણાવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ જણાવ્યું કે આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સીબીએસઈની સત્ર કસોટીમાં ધો.12 સમાજશાસ્ત્રના પેપરમાં વિવાદિત પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ વિવાદ થતાં બોર્ડે પગલાં ભરવામાં આવશે એમ જણાવ્યું

સીબીએસઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, બુધવારે ધો. 12ના સમાજશાસ્ત્રની સત્ર કસોટીમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે અયોગ્યો છે અને પ્રશ્ન પેપર તૈયાર કરવાની બાબતે બાહરના વિષય નિષ્ણાતો માટે સીબીએસઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરાયું છે. સીબીએસઈ આ ભૂલને સ્વીકારે છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે.

સીબીએસઈની ગાઈડલાઈન મુજબ પરીક્ષામાં પ્રશ્ન પત્રમાં પૂછવામાં આવતા પ્રશ્નો એકેડેમિક જ હોવા જોઈએ અને વર્ગ-ધર્મ-તટસ્થ હોવા જોઈએ. સામાજીક અને રાજકીય પસંદને આધારે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે એવા કોઈ વિષયને છેડવો જોઈએ નહીં.

સીબીએસઈ ધો. 12ના સમાજશાસ્ત્રના પેપરમાં પૂછવામાં આવ્યું હતું કે, 2002 ગુજરાતમાં મોટાપાયે મુસ્લિમ વિરોધી હિંસા કઈ સરકારના કાર્યકાળાં થઈ? આ માટે જવાબના વિકલ્પ હતા. કોંગ્રે, ભાજપ, ડેમોક્રેટિક અને રિપબ્લિકન.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સાશનકાળમાં 2002માં ગોધા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાને આગ ચાંપી દેવાયા બાદ રાજ્યમાં વ્યાપક કોમી રમખાણ ભડક્યા હતા. ટ્રેનમાં આગની ઘટનામાં 59 હિન્દુ કારસેવકના મોત થયા હતા. રમખાણોમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.  

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :