CBIએ TMCના 4 નેતાની ધરપકડ કરી

રાજકારણીઓને કૅમેરા સામે રૂપિયા લેતા દર્શાવતા નરાડા સ્ટિંગ કેસને મામલે સીબીઆઈએ સોમવારે તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના ત્રણ નેતાની ધરપકડ કરી હતી.
ટીએમસીના ત્રણ નેતા સહિત ચાર રાજકીય નેતાઓ વિરુદ્ધ કેસ ચલાવવાની માગણી કરતી સીબીઆઈની અરજીને ગવર્નર જયદીપ ધનકરે ૭ મેએ જ મંજૂરી આપી દીધી હતી. નરાડા સ્ટિંગ કેસને મામલે હવે સીબીઆઈ ટીએમસીના ત્રણ નેતા સહિત અન્યો વિરુદ્ધ ચાર્જશિટ દાખલ કરશે.
કેસને મામલે સીબીઆઈએ ટીએમસીના નેતા ફિરહાદ હકીમ, સુબ્રતા મુખરજી અને મદન મિત્રા તેમ જ પક્ષના ભૂતપૂર્વ નેતા સોવન ચેટરજીની સોમવારે સવારે ધરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૪માં જ્યારે આ ગુનો આચરવામાં આવ્યો હતો તે સમયે આ ચારે પ્રધાન હતા, એમ સીબીઆઈએ કહ્યું હતું.
પક્ષના પ્રધાનોની ધરપકડના તુરંત બાદ પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી સીબીઆઈના કાર્યાલયે પહોંચ્યાં હતાં અને તેમને છોડી મૂકવાની માગણી કરી હતી.
સીબીઆઈના સૂત્રોના જણાવ્યાનુસાર મમતા બેનરજીનું આ પગલું કોલકાતા હાઈ કૉર્ટ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવેલી તપાસની કામગીરીમાં દખલગીરી કરવા બરાબર છે.
તાજેતરમાં જ પૂરી થયેલી પ. બંગાળની ચૂંટણીમાં હકીમ, મુખરજી અને મિત્રા ફરી ચૂંટાઈ આવ્યા હતા.
ભાજપમાં જોડાવા ટીએમસી સાથે છેડો ફાડનાર ચેટરજી બંને પક્ષ સાથે કડી ધરાવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
