2021માં કોરોના પેન્ડેમિકના કારણે સમગ્ર દેશમાં તમામ બોર્ડસની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી અને જુદી જુદી ફોર્મ્યુલાઓ ઘડીને ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાયા છે. આ જોઇને ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના ગુજરાત બોર્ડના રિપીટર્સ વિદ્યાર્થીઓએ (2020ની પરીક્ષામાં નાપાસ થયેલા) પણ માગણી કરી હતી કે તેમને પણ ધો.12માં માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવે.
ગુજરાત સરકાર અને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપીને પાસ જાહેર કરવાની માગણી નહીં સ્વીકારવામાં આવતા આ વિદ્યાર્થીઓ પોતાને માસ પ્રમોશન મળે એ માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લડત આપી હતી. ગુજરાત હાઇકોર્ટે પરીક્ષાના પાંચ દિવસ અગાઉ સૂચના આપી હતી કે રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે તેમણે પરીક્ષા આપીને પાસ થવું પડશે.
2020માં નાપાસ થયેલા ધો.12 કોમર્સના વિદ્યાર્થીઓની જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે પરીક્ષા લીધી હતી
1,14,193 વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાંથી પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત 31,785 વિદ્યાર્થીઓ જ પાસ થયા. ટકાવારી પરીણામ 27.85 છે.
એ પછી જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે ધો.12 કોમર્સના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી, જેનું આજે જાહેર થયેલું પરીણામ ફક્ત 27 ટકા જેટલું જ આવ્યું છે.
આ રહ્યું ધો.12 સામાન્ય પ્રવાહ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ
આ વર્ષે કોરોના પેન્ડેમિકને કારણે ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભારે ધસારો થશે તેવી અટકળોથી વિપરીત ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન કરવા માટેની મુદત બબ્બે વખત લંબાવ્યા પછી પણ કોઇ જ ધસારો જોવા મળ્યો નથી. ઉલ્ટાનું પરિસ્થિત ગયા વર્ષ કરતા પણ નબળી જોવા મળી રહી છે.
ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદ્ત ત્રીજીવાર લંબાવીને તા.23 ઓગસ્ટ કરવામાં આવી
ગુજરાતમાં આવેલી ધો.10 પછીની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોની કુલ 64,000 સીટોની સામે માત્ર 36,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવતા શનિવાર તા.14મી ઓગસ્ટે પૂર્ણ થઇ રહેલી મુદતની પૂર્વ સંધ્યાએ જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબાવીને તા.23મી ઓગસ્ટ કરી દેવામાં આવી છે.
આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન થયું હોવાને કારણે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હશે તેવી આશંકા હતી. આ આશંકાને કારણે ડિપ્લોમા કોર્સના પ્રવેશની પ્રક્રિયા વહેલી શરુ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એડમિશન કમિટીએ અત્યાર સુધી બે વાર રજિસ્ટ્રેશનની ડેડલાઈન વધારી છે, પરંતુ અત્યાર સુધી માત્ર 36,000 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
વર્તમાન નિયમો અનુસાર, જે વિદ્યાર્થીઓએ 10મા ધોરણમાં ગ્રેસિંગ સાથે પરીક્ષા પાસ કરી હશે તેઓ એડમિશનના અમુક રાઉન્ડ સમાપ્ત થઈ જાય અને જો સીટો ખાલી હોય તો જ એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ગ્રેસ માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે, માટે કોલેજોએ સરકારને વિનંતી કરી છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓને પણ એડમિશનના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે. કોલેજોની માંગ પર હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ (તા.17-07-2021) જાહેર કરાયેલા ધો.12 સાયન્સના પરીણામનું એનાલિસીસ કરતા જાણવા મળે છે કે ધો.12 સાયન્સમાં એ ગ્રુપ એટલેકે એન્જિનિયરિંગ, ટેક્નોલોજીમાં જઇ શકે તેવા પાસ થયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 43,142 છે જેની સામે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની કુલ સીટોની સંખ્યા જોઇએ તો 65,000 છે. આમ એન્જિનિયરિંગમાં તો બધા (જોકે બધા પ્રવેશ લેવાના નથી)ને પ્રવેશ અપાઇ જાય પછી પણ કુલ બેઠકોની 35 ટકા જેટલી બેઠકો ખાલી પડે તેમ છે. કેમકે એ ગ્રુપના તેજસ્વી વિદ્યાર્થીઓ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી., ગુજરાત બહારની યુનિવર્સિટીઓ, પ્રાઇવેટ યુનિવર્સિટીનઓના આઇ.ટી., બીએસસી આઇ.ટી. કમ્પ્યુટર સાયન્સ વગેરેમાં પ્રવેશ મેળવશે.
આમ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોને છેલ્લા પાંચ વર્ષથી નડી રહેલી વિદ્યાર્થીઓનો દુકાળ આ વર્ષે 100 ટકા પરીણામ પછી પણ જારી જ રહેશે.
100% પરીણામ છતાં મેથ્સ ગ્રુપના એકેએક વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જશે
ધો.12 સાયન્સની ઓફલાઇન પરીક્ષાના અભાવે આ વખતે 100 ટકા પરીણામ આવ્યું હોવા છતાં આ વખતે પ્રવેશની કોઇ જ સમસ્યા નહીં સર્જાય. મેથ્સ ગ્રુપ સાથે પાસ થયેલા એકેએક વિદ્યાર્થીઓને પસંદગીના વિકલ્પોમાં પ્રવેશ મળી શકશે. પ્રશ્ન ફક્ત સિલેક્ટેડ ટોપ-10 કોલેજોનો આવે. જે વિદ્યાર્થીઓના ધો.12 અને ગુજકેટના માર્કસ ઓછા આવશે તેમના માટે પસંદગીની કોલેજ નહીં મળે પણ પ્રવેશ મળશે જ તેની ગેરેન્ટી અત્યારથી જ જોવા મળી રહી છે.
NEET પરીક્ષાની તારીખો આખરે જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે આ અંગેની જાહેરાત કરી છે. શિક્ષણ પ્રધાને ટ્વિટ કર્યું કે NEET (UG) 2021 ની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ પહેલા આ પરીક્ષા 1 ઓગસ્ટે યોજાવાની હતી. તેમણે જણાવ્યું કે આ સમય દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું સંપૂર્ણનું પાલન કરવામાં આવશે. તેની અરજીની પ્રક્રિયા મંગળવારથી NTAની વેબસાઇટ પર શરૂ થશે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાને કહ્યું કે કોવિડ -19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, તમામ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં જ ફેસ માસ્ક આપવામાં આવશે. આ ઉપરાંત પ્રવેશ અને બહાર નીકળવાનો સમય સ્લોટ નક્કી કરવામાં આવશે. કોન્ટેક્ટલેસ રજીસ્ટ્રેશન, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.
તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરવા પરીક્ષાઓ લેવાની હોય તેવા શહેરોની સંખ્યા 155 થી વધારીને 198 કરવામાં આવી છે. 2020 ની તુલનામાં પરીક્ષા કેન્દ્રો પણ વધારીને 3862 કરવામાં આવ્યા છે.
NEET UG 2021 એપ્લિકેશન: કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, અરજીની પ્રક્રિયા 13 જુલાઇ, મંગળવારથી શરૂ થશે. અરજી ફોર્મની લિંક નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વેબસાઇટ nta.ac.in અથવા ntaneet.nic.in ની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ કોઈ પણ વેબસાઇટ પર જઇને આ ફોર્મ ભરી શકે છે.
દેશભરના લાખો વિદ્યાર્થીઓ NEET UG 2021 ની પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા હતા. કોરોના વાયરસની બીજી લહેરને કારણે તેને મુલતવી રાખવી પડી. આ અંગેની વિસ્તૃત માહિતી જાહેર કરવા વિદ્યાર્થીઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. અગાઉ પરીક્ષાની તારીખ 1 ઓગસ્ટ બતાવવામાં આવી હતી, પરંતુ અરજી ફોર્મ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
IBPS Clerk 2021: निम्नदर्शित बैंकों में 5858 क्लर्क भर्ती के लिए नोटफिकेशन जारी, आज से करें आवेदन ibps.in पर
Latest Update Dt. 14/7/2021
IBPS clerk recruitment 2021 put on hold: Finance Ministry
The ongoing IBPS clerk recruitment process for close to 6,000 posts in nationalised banks has been put on hold.
The ongoing IBPS clerk recruitment process for close to 6,000 posts in nationalised banks has been put on hold. The Finance Ministry has directed the banking personnel selection body, IBPS, to stop the recruitment process amid row over the number of languages in which the exam is being held.
Questions have been raised that despite the fact that 22 languages are recognized by the Constitution of India, the exam for recruitment in the clerical cadre ofPublic Sector Banks (PSBs) only in two languages: English and Hindi.
The finance ministry has formed a Committee to look into the demand for holding examination for clerical cadre in Public Sector Banks (PSBs) in local or regional languages.
The finance ministry has referred to a statement made by the Union Finance Minister in 2019 where she had assured that bank exams will be held in local languages. The ministry says, the Finance Minister’s statement was made in the context of Regional Rural Banks (RRBs) only.
The Ministry has asked the Committee to give its recommendations within 15 days and has asked the IBPS to put on hold the ongoing process of holding the clerk exam until the recommendations of the Committee are made available.
Bank of Baroda
Canara Bank
Indian Overseas Bank
UCO Bank
Bank of India
Central Bank of India
Punjab National Bank
Union Bank of India
Bank of Maharashtra
Indian Bank
Punjab & Sind Bank
इंस्टीट्यूट ऑफ बैंकिंग पर्सोनेल सिलेक्शन (आईबीपीएस) ने पंजाब नेशनल बैंक, यूनियन बैंक ऑफ इंडिया, बैंक ऑफ बड़ौदा, बैंक ऑफ इंडिया, कैनरा बैंक और अन्य बैंकों में क्लेरिकल कैडर के पदों पर भर्ती के लिए नोटिफिकेशन जारी कर दिया है। संस्थान दवारा रविवार, 11 जुलाई 2021 को जारी आईबीपीएस क्लर्क (CRP Clerk-XI 2022-23) अधिसूचना के अनुसार इस वर्ष कुल 5858 पदों के लिए उम्मीदवारों का कॉमन रिक्रूटमें प्रॉसेस (सीआरपी) चयन किया जाना है। बता दें कि पिछले वर्ष की भर्ती प्रक्रिया के माध्यम से आईबीपीएस ने क्लैरिकल कैडर की 1558 रिक्तियां घोषित की थीं।
आईबीपीएस क्लर्क (CRP Clerk-XI 2022-23) अधिसूचना के अनुसार बैंकों में 5858 क्लर्क पदों के लिए आवेदन आज, 12 जुलाई 2021 से किये जा सकते हैं।
आवेदन की आखिरी तारीख 1 अगस्त 2021 निर्धारित की गयी है। साथ ही, उम्मीदवारों को निर्धारित आवेदन शुल्क रु.850 रुपये का भी भुगतान आज से लेकर 1 अगस्त के बीच कर लेना होगा। दूसरी तरफ, आईबीपीएस क्लर्क XI भर्ती कार्यक्रम के अनुसार प्रारंभिक परीक्षा प्रशिक्षण का आयोजन 16 अगस्त को किया जाएगा, वहीं, प्रारंभिक परीक्षा 28 और 29 अगस्त को और फिर 4 सितंबर को आयोजित होगी।
इसके बाद मुख्य परीक्षा 31 अक्टूबर 2021 को आयोजित की जानी है।
COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF CLERKS IN PARTICIPATING BANKS (CRP CLERKS-XI)
Important Events
Dates
Commencement of on-line registration of application
12/07/2021
Closure of registration of application
01/08/2021
Closure for editing application details
01/08/2021
Last date for printing your application
01/08/2021
Online Fee Payment
12/07/2021 to 01/08/2021
जानिए कैसे और कहां एप्लाय करना है
आवेदन के इच्छुक व योग्य उम्मीदवार आईबीपीएस क्लर्क भर्ती 2021 के लिए आईबीपीएस के अप्लीकेशन पोर्टल, ibpsonline.ibps.in पर जाकर रजिस्ट्रेशन कर सकते हैं। उम्मीदवारों को अप्लीकेशन पोर्टल पर विजिट करने के बाद सबसे पहले न्यू रजिस्ट्रेशन के लिंक पर क्लिक करके पंजीकरण करना होगा। इसके बाद, रजिस्ट्रेशन के लिए नाम, मोबाईल नंबर और ईमेल आईडी के विवरण भरने होने होंगे।
इसके बाद आवंटित रजिस्ट्रेशन नंबर एवं पासवर्ड के जरिए लॉगइन करके अपना उम्मीदवार अपना आईबीपीएस क्लर्क 2021 ऑनलाइन अप्लीकेशन सबमिट कर पाएंगे।
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠે મિડીયા કર્મીઓ સાથે વાતચીતમાં એવી માહિતી આપી છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22 અને 2022-23ના વર્ષમાં એન્જિનયરિંગમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું વેઇટેજ 50 ટકા રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે નિમેલી કમિટીએ લીધો છે. અત્યાર સુધી જીટીયુ સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશનું મેરીટ તૈયાર કરવામાં ધો.12ના પરીણાનું 60 ટકા વેઇટેજ અને ગુજકેટ પરીણામનું 40 ટકા વેઇટેજ હતું. પરંતુ, હવે આ વર્ષ અને આગામી વર્ષે ગુજકેટનું વેઇટેજ 50 ટકા કરી દેવામાં આવ્યું છે. ધોરણ 12ના પર્ફોર્મન્સ અને ગુજસેટના પરિણામને એકસમાન વેઈટેજ આપવામાં આવશે. આ નવો નિયમ આ વર્ષ ઉપરાંત આવતા વર્ષ માટે પણ લાગુ રહેશે”, તેમ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું.
ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ 11 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી અને નવીન શેઠ આ કમિટીના ચેરમેન છે. ધોરણ 12ના શૈક્ષણિક વર્ષનું પરિણામ મેરીટ આધારિત પ્રોગ્રેશનથી નક્કી કરવામાં આવશે.
ગુજસેટની પરીક્ષા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી તેમજ એગ્રીકલ્ચર કોર્સની સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં એડમિશન લેવા માગતા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષાએ દર વર્ષે યોજવામાં આવે છે.
કમિટીના ચાર સભ્યોએ ગુજસેટની પરીક્ષાને 100 ટકા વેઈટેજ આપવાના સૂચન કર્યા હતા. “એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ લેવા ગુજસેટની પરીક્ષાના રિઝલ્ટને પૂરેપૂરું વેઈટેજ આપવાની સલાહ કમિટીના કેટલાક સભ્યોએ આપી હતી. જોકે, આ વિકલ્પ સંભવ નહોતો કારણકે તેના લીધે વિદ્યાર્થીઓએ મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશનને આધારે મેળવેલું ધોરણ 12નું રિઝલ્ટ નકામું બની જાત”, તેમ નવીન શેઠે ઉમેર્યું.
તદપરાંત એન્જિનિયરિંગ એડમિશન સહિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપ અથવા બાયોલોજી વિષય સાથે પાસ થનારા વિદ્યાર્થી માટે માપદંડ નક્કી કરતી કમિટીએ આ જાહેરાત કરી છે. નવીન શેઠના કહેવા મુજબ, 15 જેટલા એન્જિનિયરિંગ કોર્સ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાં ધોરણ 12માં મેથ્સના બદલે બાયોલોજી પસંદ કરનારા વિદ્યાર્થીઓ એનરોલ થઈ શકે છે. ડેરી ટેક્નોલોજી, રબર ટેક્નોલોજી, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, એગ્રિકલ્ચર ટેક્નોલોજી, કેમિકલ અને બાયો-કેમિકલ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ એન્ડ રોબોટિક્સ, બાયો-ઈન્ફોર્મેટિક્સ, નેનો ટેક્નોલોજી અને ટેક્સટાઈલ એન્જિનિયરિંગ સહિતના કોર્સનો સમાવેશ કરાયો છે. આ એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન લેતાં પહેલા ઉમેદાવારોએ મેથેમેટિક્સનો ‘બ્રિજ’ કોર્સ પૂરો કરવો પડશે.
મિકેનિકલ, કમ્પ્યૂટર સાયન્સ અને સિવિલ એન્જિનિયરિંગ જેવા એન્જિનિયરિંગ કોર્સમાં આવતા વર્ષથી બાયોલોજી વિષય સાથે ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ એનરોલ નહીં કરી શકે, તેમ નવીન શેઠે કહ્યું.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12નું રિઝલ્ટ તૈયાર કરવા માટે 25:25:50ના રેશિયોનો ઉપયોગ કરશે. મતલબ કે, વિદ્યાર્થીના ધોરણ 12, 11 અને 10ના પર્ફોર્મન્સનું 25:25:50ના રેશિયોમાં મૂલ્યાંકન કરી બારમા ધોરણનું પરિણામ તૈયાર થશે.
તા.8મી જુલાઇ 2021ના રોજ ગુજરાત સરકારે કોવીડ-19 ગાઇડલાઇન્સ અપડેશન જાહેર કર્યુ. તા.10મી જુલાઇથી ગુજરાતના ફક્ત મોટા શહેરો એટલે કે 8 મહાનગરપાલિકાઓમાં જ કોરોના કરફ્યુ (રાત્રિ કરફ્યુ) રાત્રે 10થી સવારે 6 સુધી યથાવત્ રહેશે. એ સિવાય કોચિંગ, ટ્યુશન ક્લાસીસોને 50 ટકા ક્ષમતાથી ચલાવવાની છૂટ આપી છે. આખું ગામ જાણે છે કે આજકાલ ટ્યુશન ક્લાસીસો સ્કુલો કરતા મોટા થઇ ચૂક્યા છે, હવે એ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ચાલુ રહેશે પણ એનાથી નાની સ્કુલો કે ધો.11-12 જેવા મોટા વર્ગોમાં સ્કુલો કે કોલેજો ને ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી એ અંગે અનેક તર્ક વિતર્કો વાલીઓ અને બુદ્ધિજીવીઓમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે.
ચોરેને ચૌટે ચર્ચાતા તર્ક વિતર્કો એવા છે કે
જ્યાં કોરોનાના કેસો બિલકુલ નથી એવા જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી, ગ્રામીણ વિસ્તારોમાં આમેય ઓનલાઇન શિક્ષણ અસરકારક રહ્યું નથી, ત્યાં કેસો પણ ઓછા છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બંધ છે, જો કોચિંગ ક્લાસીસોને મંજૂરી મળતી હોય તો છેવાડાના જિલ્લાઓ, ગ્રામીણ વિસ્તારોમાં ઉપલા વર્ગોની શાળાઓને મંજૂરી આપવી જોઇએ જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને પહોંચતું નુકસાન નિવારી શકાય.
સરકારે 50 ટકા ક્ષમતા સાથે ટ્યુશન ક્લાસીસો ચલાવવાની મંજૂરી આપી છે, મોટા શહેરો ઉપરાંત મિડીયમ કક્ષાના, ટાયર થ્રી જેવા અર્બન વિસ્તારોમાં પણ આજકાલ ટ્યુશન ક્લાસીસો કોચિંગ ક્લાસીસો સ્કુલો કરતા મોટા છે અને સ્કુલો કરતા વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, હવે આ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ધમધમી ઉઠશે પણ સરકાર કોલેજો કે શાળાઓ શરૂ કરવાની કેમ પરવાનગી આપતી નથી એ સવાલ ઉપસ્થિત થાય છે.
જો સ્કુલ કોલેજો શરૂ કરવાથી કોરોનાના કેસો વધવાનો ભય હોય તો શું કોચિંગ ક્લાસીસોમાં વિદ્યાર્થીઓની અવરજવરથી કોરોનાના કેસો નહીં વધે
ધંધાદારી ટ્યુશન ક્લાસીસો કરતા તો શાળાઓમાં વધુ સારી રીતે કોવીડ-19ની ગાઇડલાઇન્સનો અમલ થઇ શકે તેમ છે, ધંધાદારી ક્લાસીસોને જ મંજૂરી આપવા પાછળનો તર્ક સરકારે જાહેર કરવો જોઇએ.
જો કોચિંગ ક્લાસીસોને ઓફલાઇન શિક્ષણની મંજૂરી મળી શકતી હોય તો સરકારે એટલિસ્ટ કોલેજો કે જ્યાં પુખ્તવયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાં કોવીડ ગાઇડલાઇન્સનો સ્વૈચ્છીક અને ચુસ્ત અમલ શક્ય છે ત્યાં શૈક્ષણિક પ્રવૃતિ ઓફલાઇન કરવા માટે કેમ પરવાનગી આપવામાં આવતી નથી.
Educational Testing Service ETS એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એવી મહત્વની અને ઉપયોગી જાહેરાત કરી છે કે વિદેશ જવા માટે જરૂરી ટૉફ્લ અને જીઆરઇ જેવી પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસે પાસપોર્ટ નહીં હોય તો પણ આધાર આઇન્ડેન્ટીટીની મદદથી તેઓ પરીક્ષા માટે નોંધણી કરાવીને પરીક્ષા આપી શકશે. તા.1લી જુલાઇ 2021થી હંગામી ધોરણે, બીજો આદેશ નહીં થાય ત્યાં સુધી ફક્ત ભારતમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સુધારો લાગૂ કરવામાં આવશે.
ભારતમાં હાલ કોરોનાના કારણે વિદેશ જવા ઇચ્છતા અનેક વિદ્યાર્થીઓ પોતાનો પાસપોર્ટ કઢાવી શકતા નથી કે રિન્યુ કરાવી શક્તા નથી. વિદેશ જવા માટે જરૂરી ઇંગ્લીશ ટેસ્ટ ટૉફ્લ તથા જીઆરઇ વગેરેના રજિસ્ટ્રેશન માટે પાસપોર્ટ હોવો ફરજિયાત છે. પરંતુ, હાલની ભારતીય વિદ્યાર્થીઓની પરિસ્થિતિને જોતા ઇટીએસ સંસ્થાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે સુધારો કર્યો છે અને ભારતીય વિદ્યાર્થીઓ આધાર આઇ.ડી.ની મદદથી ટૉફ્લ જીઆરઇ જેવી પરીક્ષાઓ આપી શકશે.
પાસપોર્ટ નહીં હોય તો આધાર આઇ.ડી.થી નીચે જણાવેલી પરીક્ષા આપી શકાશે
TOEFL iBT test,
TOEFL iBT Home Edition,
TOEFL Essentials test (beginning Aug. 2021),
GRE General Test, GRE General Test at home and
GRE Subject Tests (beginning Oct. 2021)
ETS has announced that beginning July 1, 2021, the Aadhaar Card will be temporarily considered as an acceptable form of identification for applicants taking TOEFL and GRE tests in India until further notice.
The exception is applicable to the TOEFL iBT test, TOEFL iBT Home Edition, TOEFL Essentials test (beginning Aug. 2021), GRE General Test, GRE General Test at home and GRE Subject Tests (beginning Oct. 2021).
Indian students will be required to furnish an original full version of their Aadhaar Card as received in the mail, which can be used for TOEFL and GRE tests either taken in-person from a third-party test centre, or at home.
આગામી જુલાઇ 2021માં જાહેર થનારા ધો.12ના પરીણામ બાદ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ, કોલેજ પ્રવેશ માટે દક્ષિણ ગુજરાતની 5 યુનિવર્સિટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પાંચ યુનિવર્સિટીઓ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલી-મહુવા રોડ, સુરત
પી.પી. સવાણી યુનિવર્સિટી, અંકલેશ્વર
સાર્વજનિક યુનિવર્સિટી, અઠવાલાઇન્સ, સુરત
વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, અઠવા લાઇન્સ, સુરત
આજે તા.24 જુન 2021ના રોજના સ્ટેટસ અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવિસર્ટીને બાદ કરતા બાકીની ઉપરોક્ત તમામ યુનિવર્સિટીઓએ ધો.12 પછી જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દીધી છે.
કઇ યુનિવર્સિટીમાં કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ
વીર નર્મદ યુનિવર્સિટી 82 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવશે, જેના અભ્યાક્રમો તથા તેમાં ઉપલબ્ધ બેઠકોની માહિતી નીચે દર્શાવવામાં આવી છે
Academic Year : 2021-22 Total Seats
Sr.No
Programme Name
Total Seats
1
B.Sc. *
13925
2
B.Sc. (Computer Science)
825
3
B.Com. & B.Com. (Honrs)
31875
4
B.A.
25102
5
B.B.A.
3750
6
B.C.A.
4725
7
B.R.S.
375
8
B.Com. LL.B.
150
9
M.Sc. Integrated Biotechnology *
75
10
M.Sc. IT
150
11
5 Year Integrated Programme in Sustainable Development
75
12
Bachelor of Fine Arts
100
13
Bachelor of Interior Design
88
Total
81215
વધુ ડિટેઇલમાં પર્સનલ કાઉન્સેલિંગ માટે અહીં સંપર્ક કરો 98253 44944
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.